________________
લોટરીની ટીકીટ મળે છે તો ઘણાં બધાને, પણ ફળે છે તો માત્ર એકાદને જ! મનુષ્ય જન્મ મળે છે તો અનેકને પણ ફળે છે તો કો’ક ને જ.
સત્તાના સિંહાસને બેસવા માટે તો કાવાદાવાઓ કરવા પડે છે પણ લોકહૃદયમાં બિરાજમાન થવા માટે તો સમ્યક્ સાધનાઓ કરવી પડે છે.
કાળા વસ્ત્રોનું પરિધાન જો કો'કના મોતનું સૂચક છે તો કાળા વિચારોનું આધિપત્ય એ આત્મગુણોની થઈ ગયેલી હત્યાનું સૂચક છે.
પેટમાં જ્યારે મળ જામી જાય છે ત્યારે જીભ પર ચાંદા પડી જાય છે. મનમાં જ્યારે ક્રોધ પેદા થાય છે ત્યારે જીભ પર કટુ શબ્દો ઊભા થાય છે.
વિજ્ઞાન - એના કેન્દ્રમાં શંકા છે.. ધર્મ - એના કેન્દ્રમાં શ્રદ્ધા છે.. શંકાશીલ માનસ ધર્મ માટે બાધક છે... શ્રધ્ધાશીલ માનસ વિજ્ઞાન માટે પ્રતિબંધક છે.
એણે જીંદગીમાં માત્ર પૈસા જ બચાવ્યા, એ રીબાઈ - રીબાઈને જીવ્યો! પેલાએ મળેલા પૈસાથી માણસોને બચાવ્યા, અને એ હસતાં | - હસતાં મર્યો!
Jain Education International
૩૯
For Personal & Private Use Only
www.jainelibrary.org