Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 196
________________ વ્યક્તિ જ્યારે પોતાને પૂર્ણ રીતે સમજે છે ત્યારે સંઘર્ષનો અંત આવે છે. પૂરી સચ્ચાઈથી કોઈની ટીકા ન કરનાર માણસની પ્રશંસાથી ચેતતા રહેવું જોઈએ. આ દુનિયામાં મનગમતી મૈત્રીથી વધારે સુંદર ચીજ જડવી મુશ્કેલ છે. કોઈના સાચા વખાણ કરવામાં કે કોઈની પ્રમાણિકપણે આલોચના કરવામાં માણસ દિલચોરી કરે તે માણસ કશુંક ચૂકી જાય છે. ટીકા એ ભયંકર ચિનગારી છે જે મગરૂરીના દારૂગોળામાં પડતાં જ ભયંકર ધડાકો થાય છે. સંત પણ અસંતથી દૂર ન રહે તો કાળક્રમે અસંત બની જાય છે. માણસને એક એવી મૈત્રીની જરૂર રહે છે જેમાં લાખ રૂપિયાનો હિસાબ માંડી વાળવાનો વૈભવ હોય અને કોડીની બક્ષિસ પણ લાખેણી લાગે. સાધુની પધરામણી વખતે અમથાં ઝૂકી પડતાં અને દેખાદેખી ચરણ સ્પર્શ કરનારા અનુયાયીઓ તેની સાધુતાની હત્યા જ કરતા હોય છે. સંબંધ સત્વગુણી બને ત્યારે માણસ ઝરણાનું સંગીત પામે છે. સંબંધ ગુણાતીત બને ત્યારે સાધુ મહાસાગરનું મોતી પામે છે. સુખનો પ્રદેશ ઘણીવાર દુઃખની નદીના સામા કાંઠા પર જ હોય છે. Jain Education International ૧૦૮ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232