Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 215
________________ વિચારો કોઈની સંપત્તિ નથી. વિચારોને જે ઉત્તમપણે અભિવ્યક્ત કરે તેના જ તે કહેવાતા હોય છે. તમે જૂઠું બોલો છો એનો મને અફસોસ નથી પણ અફસોસ એ છે કે હવે પછી તમારી વાત સાચી નહિ માની શકું. ઝરણું જો ખડકોને ખોળે અથડાતું ન હોત તો એનું કોઈ ગીત ન હોત. જગતમાં જ્ઞાન અને ડહાપણનાં કોઈ વસિયતનામાં થતાં નથી. વાંચનાર ને વિચારનાર કરતાં આચરનાર ઉત્તમ છે. અનુભવની ઊંચી ટેકરીએ ઊભનારને દૂરદૂરનું દેખાય છે, માટે સંસારના ટાઢા-ઊના વાયરા ખાનાર અનુભવીઓની અવગણના કદી ના કરશો. સત્કાર્યો કરીએ પણ કર્તાપણાથી અળગા રહીએ. ખાંડાની ધાર ઉપર ચાલવા જેવો આ માર્ગ છે. એમાં જરા જેટલી પણ ગફલત પતન કરાવશે. કેટલાક કહે છે ઘણું પણ કરતા નથી કંઈ. કેટલાક જેટલું કહે છે એટલું કરી બતાવે છે ને કેટલાક કશું કહ્યા વિના માત્ર કર્યા જ કરે છે. આપણે કેવા છીએ? જ્યારે બે જણ તકરાર કરે છે ત્યારે હંમેશાં બેઉં ખોટા હોય છે. Jain Education International ૧૯૭ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232