Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 221
________________ ધ્યેય વિનાનું જીવન એટલે નાવિક વિનાનું નાવડું. | મન તો તન છૂટ્યા પછી પણ સાથે આવવાનું છે માટે એની માવજત કાળજીથી કરજો. એક સારો વિચાર જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. સારા પુસ્તકોનું વાંચન જીવનનું ઘડતર કરી શકે છે. સદ્વિચાર અને સત્કર્મને વળગી રહેનાર પણ ગમે એટલાં સંકટ આવે તોય એના મનની શાંતિ જળવાઈ રહે છે. ઈતિહાસ વાંચીએ તો છીએ, ઘડીશું ક્યારે? (ખૂબ વાંચ્યુંને ખૂબ વિચાર્યું હવે થોડુંક તો આચરીએ. ગુમાવેલી સંપત્તિ કદાચ પાછી મળી શકે પણ સમય તો પાછો ન જ મળે. આત્મનિંદા ને આત્મશ્લાધા, બે ય અઘમ અને અનિચ્છનીય. પ્રત્યેક પળે તપાસતા રહો.. જીવનની ગાડી વિકાસ તરફ જાય છે કે વિનાશ ભણી? આંતરિક જીવનનું સૌંદર્ય બ્રાહ્મજીવનની દોડાદોડમાં ખોવાઈ ન જાય એટલું સાચવીએ. (૨૦૩) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232