Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 220
________________ ( જમવા બેસો ત્યારે વિચારજો - આ રોટલી કોણે બનાવી, આ લોટ કોણે દળી આપ્યો, એની ગુણ કયા મજૂરી ઉપાડી, એનો દાણો કયા ખેડૂતે ઉગાડ્યો... આ બધાના સુખ માટે મેં શું કર્યું? યુવાની સ્વેચ્છાચારથી નહિ, સ્વચ્છ આચારથી - સદાચારથી દીપે. પોતાને ભાગે આવેલું કામ એકાગ્રપણે કરે નીચું જોઈને કરે એ સર્વત્ર પૂજ્ય. ઓછામાં ઓછું કામ કરી વધુમાં વધુ વળતર મેળવવાની વૃત્તિ સમાજને પતનના માર્ગે લઈ જશે. જરૂરત પૂરતું જ લઈ વધુમાં વધુ મહેનત કરવાની વૃત્તિ જ સમાજને આગળ વધારશે. જીવનમાં ધન નહિ, ધર્મ મુખ્ય છે. મૂર્ખ લોકોની વાત પર ધ્યાન ન આપશો. એમની નિંદા કે પ્રશંસા બેય નકામા છે. (બાળકોને ધનનો વારસો આપી ન શકો તો કાંઈ નહિ, સારા સંસ્કારોનો વારસો આપતા જવાનું લક્ષ્ય અવશ્ય રાખજો. (કરવા જેવું ન કરવા જેવું એના વિવેકને જીવનમાં સ્થાન આપે એ સાચો ધાર્મિક. (આપણી ઈચ્છા વિરૂદ્ધ આપણી પાસે કોઈ ખોટું કામ કરાવી જાય છે એ તો કેમ ચાલે? (૨૦૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232