Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 222
________________ જીવન એટલે માણસનો પોતાની સામેનોને આસપાસની પરિસ્થિતિ સામેનો અવિરત સંગ્રામ. પદ, પૈસો - પ્રતિષ્ઠા કે વિષયવાસના દ્વારા કદી કોઈને ય શાંતિ કે તૃપ્તિ મળી શકતી નથી. સાકર અંધારામાં ખાઈએ તોય મોઢું મીઠું થાય, સત્કર્મ અજાણતાં કરીએ તોય મીઠાં ફળ મળે. આજે જરૂર છે, સંઘશક્તિની – યુવાશક્તિ સંગઠિત બને તો તે અંધકારને અબઘડી ઉજાસમાં પલટાવી દે છે. દઢ સંકલ્પ કરો, સ્થિર પગલાં ભરો, માંગશો તે દોડતું આવશે. યુવાન- તારા જીવન પ્રત્યે જ આટલી બધી બેદરકારી? સુવર્ણકાળ સરી જઈ રહ્યો છે. આજે જ સાબદો થઈ જા.. રજાના દિવસનો ઉપયોગ કોઈ અસહાયની આંખનાં આંસુ લૂછવામાં, કોઈ સ્વજન-વિહોણાના સ્વજન થવામાં, કોઈ હતાશને હૈયાધરપત દેવામાં કરજો. શ્રદ્ધા પ્રાર્થના પ્રેરે છે. પ્રાર્થના હૃદય વિશુદ્ધ કરે છે. પવિત્ર હૃદયમાં પરમતત્ત્વનો અજવાસ પ્રસરે છે અને એમ જિંદગી પ્રસન્નતાથી છલકી ઉઠે છે. - અનુશ્રુતિ દુઃખનું ઓસડ દહાડા નહિ, પણ ડહાપણ છે. (૨૦૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232