Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 218
________________ જગતમાં જેટલું બોલાય છે એથી અડધું કામ થતું હોય તો સંસારની સિકલ જ બદલાઈ જાય. (જેટલું આચરણમાં ઊતર્યું એટલું જ ખપનું. યુવાન તું લક્ષ્યને વશ ના થઈશ, ને ધાકધમકીથી ડરી ના જઈશે. સત્યને પંથે સ્થિરતાપૂર્વક ચાલ્યો જજે. જીવનમાં પળે પળે આત્મારામની સલાહ જ લેજો. મનીરામની સલાહ ના લેશો. મનીરામ તો દગાખોર છે. ઈસ દેશકો દુશ્મનોં સે નહિ, ગદ્દારો સે ખતરા હૈ. ખજાને કો ચોરો સે નહિ, પહેરેદારોં સે ખતરા હૈ. સુખી થવું છે? - તો હું સુખી બનું એવા હલકા વિચારમાંથી બહાર નીકળો, અને સુખી થઈએ. એ કોચલાને ફોડી નાંખો ને સૌ સુખી બનો એ ભાવનાને હૈયે રાખો. દુનિયા આખીને છેતરી શકાશે પણ જાતને છેતરી નહિ શકાય. બીજાને છેતરતાં પહેલા જાતને છેતરવી પડે. પાપ એટલે સદાચારનાં સંગ્રામમાં હાથે કરીને સ્વીકારેલી હાર. સુદઢ શરીર, સંવેદનશીલ હૃદય, સ્વસ્થ મન ને ઉદાત્ત અંતરાત્મા આ છે યૌવનનો આદર્શ. (૨૦૦૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232