SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ વિચારો કોઈની સંપત્તિ નથી. વિચારોને જે ઉત્તમપણે અભિવ્યક્ત કરે તેના જ તે કહેવાતા હોય છે. તમે જૂઠું બોલો છો એનો મને અફસોસ નથી પણ અફસોસ એ છે કે હવે પછી તમારી વાત સાચી નહિ માની શકું. ઝરણું જો ખડકોને ખોળે અથડાતું ન હોત તો એનું કોઈ ગીત ન હોત. જગતમાં જ્ઞાન અને ડહાપણનાં કોઈ વસિયતનામાં થતાં નથી. વાંચનાર ને વિચારનાર કરતાં આચરનાર ઉત્તમ છે. અનુભવની ઊંચી ટેકરીએ ઊભનારને દૂરદૂરનું દેખાય છે, માટે સંસારના ટાઢા-ઊના વાયરા ખાનાર અનુભવીઓની અવગણના કદી ના કરશો. સત્કાર્યો કરીએ પણ કર્તાપણાથી અળગા રહીએ. ખાંડાની ધાર ઉપર ચાલવા જેવો આ માર્ગ છે. એમાં જરા જેટલી પણ ગફલત પતન કરાવશે. કેટલાક કહે છે ઘણું પણ કરતા નથી કંઈ. કેટલાક જેટલું કહે છે એટલું કરી બતાવે છે ને કેટલાક કશું કહ્યા વિના માત્ર કર્યા જ કરે છે. આપણે કેવા છીએ? જ્યારે બે જણ તકરાર કરે છે ત્યારે હંમેશાં બેઉં ખોટા હોય છે. Jain Education International ૧૯૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy