Book Title: Umangni Foram
Author(s): Umang D Desai
Publisher: Harakhchand Harjivandas Desai Parivar

View full book text
Previous | Next

Page 210
________________ માણસ પોતાની લાગણીઓ પર કેવી રીતે કાબૂ મેળવે છે તેના આધારે તેના બળનું માપ નીકળે છે. રાજા હોય કે ખેડૂત જેને ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય છે, તે દુનિયાનો સૌથી સુખી માણસ છે. અનિર્ણાયકતા એ ચારિત્ર્યની સૌથી મોટી નબળાઈ છે. સાચો તંદુરસ્ત માણસ એ છે જે કુદરતી વાતાવરણમાં મરજી મુજબ હરી ફરી શકે અને પોતાના અસ્તિત્ત્વ માટે ભગવાનને ધન્યવાદ આપે. ભગવાનમાં વિશ્વાસ એટલે દુનિયા પર વિશ્વાસ એટલે આત્મા પર વિશ્વાસ એટલે સત્ય પર વિશ્વાસ. તમામ સાહિત્યના અભ્યાસથી અથવા આખા વિશ્વનાં વિજ્ઞાનથી જે સમાધાન મળવાનું નથી તે આત્મસંશોધનથી મળે છે. ઓ પ્રભુ! આ જગતને સુધારજે પણ તેની શરૂઆત મારાથી કરજે. પાંચ પ્રકારનો પૈસો ઝેર સમાન છે. (૧) પાપનો, (૨) થાપણનો, (૩) દીકરીનો, (૪) ધર્માદાનો, (૫) બીજાનાં ભાગનો સુખી થવાનો એક જ ઉપાય છે - સુખની તમન્ના ત્યજો! વધુ કામથી કંટાળી જતી વ્યક્તિ ક્યારેય મોટું કામ કરી શકતી નથી. Jain Education International ૧૯૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232