Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 291
________________ પરમાત્માનું પારણું અને સવર્ણષ્ટિ [ ૧૭૯ ]. દાનવ અને મનુષ્યથી કરાયેલ “જય જય ” એવો વનિ સમસ્ત વિશ્વરૂપી મંડપમાં પ્રસરી ગયો. ત્રણે જગતનું કલ્યાણ ચાહનાર પરમાત્માના ડાબા ખભા ઉપર ઇંદ્ર નિર્મળ દેવદૂષ્ય વજ મૂકયું. પછી સર્વ સાધુ સહિત પરમાત્માને નમસ્કાર કરીને ઇંદ્ર મહારાજાએ તથા રાજાએ પોતપોતાના સ્થાને ગયા. . . : બાદ પરમાત્માએ પરિવાર સહિત અન્યત્ર વિહાર કર્યો અને બીજે દિવસે સિદ્ધાર્થ નામના નગરે પહોંચ્યા. ગેચરીના સમયે જંગમ ક૬૫વૃક્ષ સરખા પરમાત્મા નંદ શ્રેષ્ઠીના ગૃહે ગયા. તે વખતે તે શ્રેષ્ઠીના ગૃહે પુત્રના નામાભિધાનને મહોત્સવ હતું અને તે કારણે સમસ્ત કુટુંબીજનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેશાચારને કારણે તે લોકો ક્ષીરનું ભજન કરનારા હતા અને આ મહોત્સવ પ્રસંગે પણ તેઓએ પરમાત્ત (ક્ષીર) ભેજન તૈયાર કર્યું હતું. આ પ્રસંગે પરમાત્માને પધારેલા જોઈને હર્ષ પામેલ નંદ શ્રેણી આ શ્રી શ્રેયાંસનાથ પરમાત્માં આવ્યા છે ” એમ જાણીને, પોતાના પરિવાર સાથે શીધ્ર ઊભા થઈને, સાત-આઠ પગલાં પરમાત્માની સન્મુખ ગયો. હર્ષપૂર્વક પરમાત્માને વારંવાર પ્રણામ કરીને પિતાના વસ્ત્રના છેડાથી પરમાત્માના બંને ચરણે લુછયા. પછી મસ્તકે અંજલિ જેડીને નીચે પ્રમાણે સ્તુતિ કરી કે-“ચિંતામણિ, કલ્પવૃક્ષ અને નિષિ સમાન આપ મારે આંગણે પધાર્યા છે તેથી આજે મારે જન્મ સફળ થયો છે, મારા પુણો ઉદય પામ્યા છે, મારું જીવિત સફળ થયું છે અને મારા ઘરનું આંગણું પવિત્ર થયું છે. હે નાથ ! મહાપુર્યોદય હોય તો જ આપનું નામ સંભળાય છે, જ્યારે આનંદ આપનાર આપના દર્શનની તે વાત જ શી કરવી? તે આ મારી લમી, પરિવાર, મારું જીવિત અને આ દેહ તે સર્વ આપને આધીન છે તે આપ મારા પર અનુગ્રહ કરે.” આ પ્રમાણે બેલીને સરલ બુદ્ધિવાળા નંદછીએ પરમાત્માની સમક્ષ સુવર્ણ અને રત્નાદિ ધર્યા, પરન્ત નિષ્પરિયહી પરમાત્મા એ તે વસ્તુ સ્વીકારી નહીં ત્યારે તે શ્રેષ્ઠીએ ક્ષીરાન્ન થયું એટલે તેને નિર્દોષ આહાર જાણીને પરમાત્માએ પિતાનું હસ્તરૂપી પાત્ર ધર્યું એટલે વિકસિત રામરાજીવાળા નંદશ્રેષ્ઠીએ તે ક્ષીરાન્ન વહરાવ્યું ત્યારે દેવસમૂહે આકાશમાં દેવદુંદુભી વગાડી, સુગંધી જળ તથા પુષ્પની વૃષ્ટિ કરી નંદના ગૃહાંગણમાં સાડાબાર કરોડ સુવર્ણ મહોરની વૃષ્ટિ થઈ. લતાઓને ધીમે ધીમે પ્રજાવ સુગંધી પવન વાવા લાગે, ઉત્તમ વસ્ત્રની વૃષ્ટિ થઈ, “ જય જય” એવો અવનિ થવા લાગ્યા, દેએ “અહોદાન અહોદાન” એવી ઉદ્દઘેષણ કરી અને વિવિધ પ્રકારનાં વાજિંત્રો વગાડયા. પાપસમૂહને નષ્ટ કરનાર પરમાત્માનું ત્રણ પ્રકારના વાજિંત્રોથી મનોહર અને ત્રણ લકના જનેને આનંદદાયક પારણું થયું. અમે તે નંદડી તથા તેના પુત્ર આનંદની સ્તુતિ કરીએ છીએ કે જેના નામાભિધાન પ્રસંગે પરમાતમાં પિતે આવી પહોંચ્યા. “ આમંત્રણ અપાયેલ પરમાત્માં ખરેખર મહાનું છે ”એમ સિદ્ધ થયું, કારણ કે ગોચરી પ્રાપ્ત કરેલ તેમણે બદલામાં સાડાબાર કરેડ સેનૈયા આપ્યા. ખરેખર આ લેકમાં, સ્વામીનું સ્વજનપણું લોક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390