Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 359
________________ વયેાગે થયેલ સતે। મેળાપ, [ ૨૪૩ ] પર ભ્રમણુ કરતા સાગરદત્ત સાથે વાહ તે અટવીમાં જ આવી ચઢવાથી તે ' સવ એકત્ર થયા એટલે સમુદ્રદત્તે તેના ચરણમાં નમસ્કાર કર્યો. તેને વધુ યુક્ત જાણીને સાગરદત્તે ગાઢ આલિં ગન આપ્યું : પછી અશ્રુ યુક્ત લેાચનવાળા અને આશ્ચય પામેલા સાગરદત્તે નય તીને પણ જોઇ. સમુદ્રદત્તે પિતાને પૂછ્યું કે- તમારી આવી દશા શી રીતે થઇ ? ’ સાગરદત્તે જણાવ્યુ' કે-“હે પુત્ર ! મારા અવિવેકરૂપી વૃક્ષનુ ફૂલ મને પ્રાપ્ત થયું છે; કારણ કે કુલીન, સુશીલ, વિનયી, મીઠું ખેલનારી, કુલની વૃદ્ધિના કારણુરૂપ, તારા જીવિતના આલ’બનરૂપ, અને પવિત્ર એવી તારી વહુના મૂઢ બુદ્ધિવાળા મે વનમાં ત્યાગ કરાવ્યા તેથી હું વત્સ ! હું તારા પિતા નથી, પણ દુશ્મન છું. ” ત્યારે સમુદ્રદત્તે જણાવ્યું કે હૈ પૂજ્ય ! તમારા લેશમાત્ર દોષ નથી, પણ પૂર્વે ઉપાર્જન કરેલા અશુભ કર્મોના જ છે, તે આપ સ`તાપ ન કરે. તમારા સતાના પર પ્રસન્ન થાઓ.” સાગરદત્તે તે વખતે દોષ વિચાયુ' કે—“અરે ! મારા પુત્રનું વિનયીપણું કેવું છે ? ” આ બાજુ, નંદયતીને નહીં દેખવાથી સેનાપતિ પણ વસુમિત્ર અને નિષ્કરુણની સાથે ન'ક્રય'તીની રોાધ માટે વનમાં પરિભ્રમણ કરવા લાગ્યા. શાકયુક્ત અનેલા તેણે પોતાના સેવકદ્વારા દરેક માણસને પૂછાવ્યું કે-“ તમે ઢાઈ સ્રીને જોઈ ? ” ત્યારે એક ભીલે જણાવ્યું ૐ મેં એક પુરુષને જોયા છે. બંધાયેલા એવા તે પુરુષના બંધનાને મેં કરુણાને લીધે જલ્દી છેદી નાખ્યા. ત્યારે તે વ્યક્તિએ મને જØાવ્યું હતું કે-“ હું મહાભાગ્યશાળી ! તમે માર્શ મહાઉપકારી બન્યા છે, તેા તમે તામ્રલિસી નગરીમાં રહેનાર (મારા) સમુદ્રદત્તના અતિથિ અનજો. '' ભીલનું આવા પ્રકારનું કથન સાંભળીને વસુમિત્રે કહ્યું કે- અરે ! વિધિનું પરાંગમુખપણું વિચિત્ર છે. હે પૂજ્ય ! મારા મિત્રના સમાચાર તા પ્રાપ્ત થયા, પણુ ન યતીના સમાચાર મળવા મુશ્કેલ છે. જુએ, દેવે, ભૂતને બલિદાન અપાય તેમ, આ સમસ્ત કુટુ અને સંકટમાં નાંખ્યું છે, ” આગળ જતાં સેનાપતિએ સન્મુખ આવી રહેલ ત્રણે વ્યક્તિઆને જોઇને, તેમાં નદય'નીને એળખી કાઢીને હર્ષ પામ્યા. સમુદ્રદત્ત તથા સાગરદત્તને પણ ઓળખીને તેના ચિત સત્કાર કર્યાં અને તે સમયે સવ'ના નેત્રામાં હર્ષાશ્રુ આવ્યા. માદ સેનાપતિ હું પૂર્વક તે સવને પેાતાના સ્થાને લઇ ગયા. સાગરદત્તે પેાતાના પુત્રની પ્રતિકૃતિ જેવા પૌત્રને જોઈને હ પૂર્વક જણાવ્યું કે—‹ હે વત્સ ! તું એક ડાળીવાળા જીણુ વૃક્ષના પાંદડાં જેવા છે. આજે મારા જન્મ, જીવિત અને નેત્ર સફળ થયા છે. આજે મારું' પુણ્ય જાગ્યું અને મારા માટે આજે જ સૂર્યોદય થયા છે; કારણ કે આજે જ મને વાછડા યુક્ત કામધેનુની માફ્ક પુત્ર સહિત પુત્રવધૂની પ્રાપ્તિ થઈ છે.” લાંબા સમય સુધી પૌત્ર( સિંધુદત્ત)ને રમાડીને તેને સમુદ્રદત્તને સાંપ્ચા એટલે પુત્રના સ્પર્શથી રામાંચિત બનેલા સમુદ્રદત્તને સાગરદત્તે એકી નજરે નિહાળ્યા. . બાદ ઉદાર દિલવાળા સેનાધિપતિએ અત્યંત આનંદ અનુભવતાં તેએ સવની ભેાજન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390