Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 79
________________ મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ક સખત વિરોધી હોવા છતાં હમણાં તેમણે ગર્ભપાત કરાવેલ સ્ત્રીઓને આ પાપની માફી આપવાનો અનુરોધ કર્યો. ઈશ્વર કોઈ પણ પાપ માફ કરી શકે તે ન્યાયે ધર્મગુરુઓને આવી મહિલાઓને પણ માફી આપવાની ભલામણ કરી છે. ગર્ભપાતનો મધર ટેરેસાએ પણ સખત વિરોધ કર્યો હતો. (Catjpc News Agenicy;) વર્તમાન સમયમાં ગર્ભપાત એ શાંતિનો સૌથી મોટો હણનાર છે કારણ કે તે બાળકો સામેનું એક યુદ્ધ છે, નિર્દોષ બાળકોની એ સીધેસીધી હત્યા છે, માતાના દ્વારા જ હત્યા છે. જો આપણે સ્વીકારીએ કે માતા તેના પોતાના બાળકને મારી નાખી શકે છે તો આપણે અન્યને એકબીજાની હત્યા ન કરવાનું કેમ ના કહી શકીશું, સ્ત્રીઓને ગર્ભપાત ન કરવાનું કેમ ન સમજાવી શકાય? આપણે તેને પ્રેમથી સમજાવવી જોઈએ... જે રાષ્ટ્રોએ ગર્ભપાતને સ્વીકૃતિ આપી છે તે તેની પ્રજાને પ્રેમ કરવાનું શીખવતા નથી, પરંતુ તેમને જે કંઈ પ્રાપ્ત કરવું છે તે માટે હિંસા કરવાનું શીખવે છે. એટલા જ માટે ગર્ભપાત શાંતિ અને પ્રેમનો સૌથી મોટો હત્યારો છે. ભારતમાં તેથી હું અપીલ કરું છે કે, “બાળકોને પાછા લાવો'' બાળક એ કુટુંબને ઈશ્વરની ભેટ છે. અમે હજારો જીવ બચાવ્યા છે. અમે ક્લિનિક્સ, હૉસ્પિટલો અને પોલીસ સ્ટેશનોને સંદેશો મોકલ્યો છે, “મહેરબાની કરીને બાળકોની હત્યા કરશો નહીં. અમે બાળકોને અપનાવી લઈશું''. આવી માતાઓને પણ ક્યું છે કે, “આવો, અમે તમારી કાળજી લઈશું. અમે તમારા બાળકોને ઘર આપીશું. કોલકાતામાંના અમારા શિશુગૃહમાં અમે ગર્ભપાતમાંથી ત્રણ હજાર બાળકોને બચાવી લીધા છે.’ (અમદાવાદસ્થિત થોમસ પરમાર એચ.કે. આર્ટ્સ કૉલેજના રીટાયર્ડ લેક્ચરર છે. સી.ઈ.પી.ટી. યુનિ.ના વિજિટીંગ લેક્ચરર છે. વિવિધ સેમિનારમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે). ૭૪

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170