Book Title: Samprat Samasyanu Dharmma Samadhan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 142
________________ શાહ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હ ટકી જાય છે. સમાજમાં સાંપ્રદાયિક દુરાગ્રહો મૂકીને લોકો સાચા અધ્યાત્મમાર્ગે વળે માટે સહજાનંદ સ્વામીએ ખૂબ પ્રયત્નો કર્યા હતા. અને આજે સ્વા. સંપ્રદાય એ દિશામાં કાર્યરત છે. ૧૮ અન્ય ધર્મદેશો સાંપ્રત જીવનની અનેક સમસ્યાઓનું નિવારણ થઈ શકે તેવા સ્વા. સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી (સહજાનંદ સ્વામીએ સ્વયં લખેલી ધર્માજ્ઞાઓ - આચરણ અંગેની ૨૧૨ શ્લોકની નાનકડી પુસ્તિકા)માં અનેક ધર્માદશો આપેલા છે અને વચનામૃત (પ્રશ્નોતરીના રૂપમાં આધ્યાત્મિક અને વ્યવહારિક વિવિધ સમસ્યાઓ અંગે સહજાનંદ સ્વામીએ આપેલા માર્ગદર્શનનો ગ્રંથ)માં આ અંગે ખૂબ માર્ગદર્શન આપ્યું છે. તે પૈકીના કેટલાક અતિમહત્વના આદેશો જોઈએ. ૧. ધર્મકાર્યને નિમિત્તે પણ કોઈપણ પ્રકારની હિંસા ન કરવી (શિ. ૧૧) ૨. તીર્થસ્થાનમાં પણ ક્યારેય આપઘાત ન કરવો. (શિ. ૧૪) ૩. દારૂ, માંસ વગેરે અભક્ષ્યપદાર્થો ક્યારેય ન ખાવા. (શિ. ૧૫) ૪. દરેક પ્રકારના વ્યસનનો ત્યાગ કરવો. (શિ. ૧૮) ૫. ક્યારેય કોઈના ઉપર મિથ્યા આરોપ ન મુકવો. અને અપશબ્દો ન બોલવા. (શિ. ૨૦) ૬. જે દેવદેવીની આગળ જીવ હિંસા થતી હોય તેનો પ્રસાદ ન લેવો અને તેને માનવા નહીં. (શિ. ૨૨). ૭. દરેકે પોતાના કર્તવ્ય - ધર્મનું પાલન કરવું. કલ્પિત કે પાખંડધર્મનું આચરણ ન કરવું. (શિ. ૨૪) ૮. પોતાનો કે પારકો દ્રોહ થાય તેવું વચન સત્ય હોય તો પણ ન બોલવું. કોઈની લાંચ ન લેવી. અને કતદની માણસના સંગનો ત્યાગ કરવો. (શિ. ૨૬) ૯. ભક્તિ અને જ્ઞાનનું અવલંબન લઈને લોકોને છેતરનારા, ઠગ, પાખંડી, અને રસાસ્વાદને વિશે અતિલોલુપ એવા પાપી લોકોનો સંગ ન કરવો. (શિ. ૨૬) ૧૦. ગુરુ, વિદ્વાન, શસ્ત્રધારી અને પ્રતિષ્ઠિત લોકોનું અપમાન ન કરવું. (શિ. ૩૫) - ૧૩૭ –

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170