Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૧૪.
પવિત્ર કપત્ર ચિત્રના મધ્ય ભાગમાં વિમાનની વચ્ચે સિંહાસન ઉપર ઇન્દ્ર બિરાજમાન છે. તેના ચાર હાથ પૈકી ઉપરના જમણા હાથમાં જ છે. નીચેના જમણા હાથથી ચામરધારિણી સ્ત્રીના હાથમાંથી ચપટી ભરીને કાંઈ લેત દેખાય છે અને તેના બંને ડાબા હાથ ખાલી છે. સામે હરિણગમેલી બે હાથની અંજલિ જેડીને ઈન્દ્રની આજ્ઞાનું શ્રવણ કરતે ઊભે છે. ઈન્દ્ર વસ્ત્રાભૂષણોથી સુસજિજત છે ત્રણે આકૃતિઓનાં વસ્ત્રો જુદી જુદી ડિઝાઈનવાળાં છે. ગુજરાતના પ્રાચીન તાડપત્રનાં ચિત્રોમાં મોરની રજૂઆત આ ચિત્રમાં પહેલવહેલી જોવામાં આવે છે. આ સમય પહેલાંનાં પ્રાચીન ચિત્રોમાં મોર કેમ દેખાતો નથી તે શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ અનુભવી ઇતિહાસકાર અને કલાવિવેચકો આ બાબતમાં વધુ પ્રકાશ પાડી શકે.
ચિત્ર ૩૦ઃ પ્રભુ શ્રી મહાવીરના જન્મ સમયે દેવનું આગમન. ઈડરની પ્રતનાના ૩૫ ઉપરથી આ ચિત્ર લેવામાં આવ્યું છે. * પ્રભુને જન્મ થતાં જ છપ્પન દિકુમારીઓનાં આસન કંપ્યાં અને અવધિજ્ઞાને કરીને શ્રીઅરિહંત પ્રભુને જન્મ થએલે જાણી, હર્ષપૂર્વક સૂતિકાઘરને વિષે આવી. સૂતિકાકર્મ કરી પિતાપિતાને થાનકે ગઈ.
ચિત્રની જમણી બાજુએ ત્રિશલા માતા જમણા હાથમાં મહાવીરને લઈને તેમની સન્મુખ જતાં દેખાય છે. ઉપરના છતના ભાગમાં ચંદર બાંધે છે. બીજી બે સ્ત્રીઓ ડાબી બાજુએ ઉપરના ભાગમાંથી આવતી દેખાય છે, જેમાંની એક ચામર વીંઝે છે અને બીજીના હાથમાં સુવર્ણ થાળમાં મૂકેલે ત્રિશલાને સ્નાન કરાવવા માટે ક્ષીરોદકથી ભરેલ કળશ છે. આ બંને સ્ત્રીઓ દિકુમારીઓ પૈકીની છે. પલંગની પાસે સ્ત્રી-મેકર ઊભી છે.
ચિત્ર ૩૧ઃ મેરુ પર્વત ઉપર સ્નાત્ર મહોત્સવ. ઈડરની પ્રતના પાના ૩૮ ઉપરથી વર્ણન માટે જુઓ ચિત્ર ૨૪નું આ પ્રસંગને લગતું વર્ણન.
'મહાવીરના મેરુ પર્વત ઉપરના જન્માભિષેક સમયની એક ઘટના ખાસ ઉલ્લેખનીય હોવાથી અહીં તેને પ્રસંગોપાત ઉલેખ કરી લઈએઃ 0 જ્યારે દેવદેવીઓ શ્રમણ ભગવાન મહાવીરને જન્માભિષેક માટે મેરુ પર્વત ઉપર લઈ ગયાં ત્યારે ઈન્દ્રને મનમાં શંકા ઉત્પન્ન થઈ કે લઘુ શરીરવાળા પ્રભુ આટલે બધે જળને ભાર શી રીતે સહન કરી શકશે? ઈન્દ્રનો આ સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્ર ભાગથી મેરુ પર્વતને સહેજ દબાવ્યો, એટલામાં તે પ્રભુના અતુલ બળથી મેરુ પર્વત કંપી ઊઠળ્યો.
આ વર્ણનની સાથે સરખા ભાગવત, દશમસ્કન્ય, અ. ૪૩, લે. ૨૬-૨૭માં આપેલું કૃષ્ણની લીલાનું વર્ણન
ઈન્દ્ર કરેલા ઉપદ્રવથી વ્રજવાસીઓને રક્ષણ આપવા તરુણ કૃષ્ણ યોજનપ્રમાણ ગેવઅર્ધન પર્વતને સાત દિવસ સુધી ઊંચકી . - ચિત્ર ૩રઃ પ્રભુ મહાવીરના જન્મમહોત્સવની ઊજવણી. ઈડરની પ્રતના પાના ૩૯ ઉપરથી. ચિત્રના મૂળ કદ ૨૪૨ ઇંચ ઉપરથી સહેજ નાનું કરીને આ ચિત્ર રજુ કરવામાં આવ્યું છે.
શ્રમણ ભગવાન મહાવીરને જન્મમહોત્સવ મેરુ પર્વત ઉપર દેએ કર્યો તે આપણે