Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ
૧૫ જણાવી ગયા. પછી સિદ્ધાર્થ રાજાએ આ જનમમહત્સવના દિવસોમાં કોઈ પિતાની ગાડી ન જોડે, હળ ન ખેડે અને ખાંડવા-દળવાનું બંધ રાખે એ બંદોબસ્ત કરવા અને કેદીઓને છોડી મૂકવા માટે કૌટુંબિક પુરુષોને આજ્ઞા કરી. અને કૌટુંબિક પુરુષોએ ખૂબ હર્ષ, સંતોષ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાનાં વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયંકડ નગરમાં જઈ કેદીઓને છોડી મકા, ધોંસરાં અને સાંબેલાં ઊંચાં મુકાવી દીધાં અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી, નમન કરી, “આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું.
ચિત્રના મધ્ય ભાગમાં સિંહાસન ઉપર જમણા હાથમાં ઉઘાડી તલવાર રાખી ડાબા હાથે સિદ્ધાર્થ રાજા કોંબિક પુરુષને હકમ ફરમાવતા હોય એમ લાગે છે. તેમની સામે ચિત્રની ડાબી બાજુએ બે હાથની અંજલિ જોડીને બે કૌટુંબિક પુરુષો આજ્ઞાને સ્વીકાર કરતા દેખાય છે. સિદ્ધાર્થ રાજાના મસ્તક ઉપર રાજ્યચિહન તરીકે છત્ર ચીતરેલું છે, સિંહાસનની પાછળના ભાગમાં સ્ત્રીપરિચારિકા ડાબા હાથથી ચામર વીંઝતી અને જમણા હાથે સિંહાસનને અઢેલીને ઊભી છે. છતના ઉપરના ભાગમાં ચંદરો બાંધે છે.
- - 1/late VIII ચિત્ર ૩૩: સ્વજનો અને રાજા સિદ્ધાર્થ. ઈડરની પ્રતિમાંના પાના ૪૦ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૪૨ ઇંચ છે. મહાવીરના જન્મ મહોત્સવના બારમા દિવસે અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એમ ચાર પ્રકારના આહારની પુષ્કળ સામગ્રી તૈયાર કરાવી, મિત્રો, જ્ઞાતિજને, પિતરાઈઓ વગેરે સ્વજને, દાસ-દાસી, નોકર-ચાકર વગેરે પરિજને અને સાત કુળના ક્ષત્રિયોને ભેજનને માટે નિમંત્રણ આપ્યાં.
ચિત્રની મધ્યમાં સિદ્ધાર્થ રાજા બેઠા છે. તેમની પાછળ ઉપરના ભાગમાં જમણી બાજુએ એક સ્ત્રી-ઘણું કરીને ત્રિશલા ક્ષત્રિયાણ બેઠાં છે. ચિત્રની ડાબી બાજુએ બબ્બે પુરુષે ચાર લાઈનમાં, કુલ મળીને આઠ પુરુષો સિદ્ધાર્થની સામે બેધ્યા છે તે બધાને સંબોધીને શ્રમણ ભગવાન મહા- * વીરનું વર્ધમાન એવું ગુણનિષ્પન્ન નામ પાડવા માટેના પિતાના મનોરથે દર્શાવે છે.
ચિત્ર ૩૪ વર્ષીદાન. ઈડરની પ્રતના પત્ર ૪૪ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૩૪૨ ઈંચ છે.
શ્રમણ ભગવાન મહાવીરને દીક્ષા લેવામાં એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તેઓ હમેશાં સૂર્યોદયથી આરંભી પ્રાતઃકાળના ભજન પહેલાં એક કરોડને આઠ લાખ સોનૈયાનું દાન આપવા લાગ્યા. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ, અઠયાસી કરોડ અને એંશી લાખ સેનેયા દાનમાં ખર્ચી દીધા.
ચિત્રમાં મહાવીર સિંહાસન ઉપર બેઠેલા છે અને જમણા હાથે સેનૈયાનું દાન આપે છે. હાથમાં એક સેને અંગુઠો અને તર્જની આંગળીથી પકડેલો દેખાય છે. મહાવીરને જમણે પણ સિંહાસન પર છે અને ડાબો પગ પાદપીઠ ઉપર છે, જે બતાવે છે કે દાનની સમાપ્તિને સમય થવા આવ્યું છે. આ ચિત્રમાં મહાવીરને દાઢી તથા મૂછ સહિત ચિત્રકારે ચીતરેલા છે. મહાવરની નજીકમાં ત્રણ પાયા વાળી ટીપોઈ ઉપર સુવન થાળ મૂકેલે સ્પષ્ટ દેખાય છે. મહાવીરની પાછળ ચિત્રની જમણી બાજુએ ચામરધારિણી શ્રી મહાવીરને ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય