Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૨
પવિત્ર કપત્ર આ વૃત્તાંત વિસ્મય ચિત્તે સાંભળતી ઊભેલી છે.
Plate XXXV ચિત્ર ૧૨૪ઃ સિદ્ધાર્થ અને ત્રિશલા દરબારમાં. પાટણ ૩ની પ્રતના પાના ૨૨ ઉપરથી. આ ચિત્ર-પ્રસંગ બરાબર ઉપરોક્ત ચિત્ર ૧૨૩ને મળો છે.
ચિત્ર ૧૨૫: પુત્રજન્મની વધામણી. પાટણ ૩ની પ્રતના પાના ૨૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૬૩નું આ પ્રસંગને લગતું જ વર્ણન. ચિત્રમાં સિંહાસન ઉપર બેઠેલા સિદ્ધાર્થ ક્ષત્રિય, પિતાને ત્યાં પુત્રજન્મની ખુશાલીમાં જમવાનું આમંત્રણ આપીને બોલાવેલા સ્વજનો સાથે પુત્રનું નામ પાડવા વગેરેની ચર્ચા કરતા દેખાય છે. સિદ્ધાર્થની સામે ઉપરના પ્રસંગમાં બે પુરુષ અને ' નીચેના પ્રસંગમાં બીજા બે પુરુષ, કુલ ચાર પુરુષ ઊભેલા છે.
Plate XXXVI ચિત્ર ૧૨થી ૧૩૭ઃ કલ્પસૂત્રનાં સુંદર સુશોભન, હંસ વિ. ૨ ની પ્રત ઉપરથી. ચિત્ર ૧૩૮થી ૧૪૯ કલ્પસૂત્રનાં સુંદર સુશોભને. ઉપરની જ પ્રતમાંથી.
: Plate XXXVII - ચિત્ર ૧૫૦ઃ મહાવીરજન્મ. પાટણ ૩ની પ્રતના પાના ૨૮ ઉપરથી, વર્ણન માટે જુઓ - ચિત્ર ૧૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રના પાનાનું માપ મેટું હોવાથી ચિત્રકારે શયનમંદિરના સુશોભનમાં સારી વૃદ્ધિ કરી છે.
ચિત્ર ૧૫૧ઃ સંવત્સરી-દાન. પાટણની પ્રતના પાના ૩૩ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૪નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં પણ ચિત્ર માટે મોટી જગ્યા મળવાથી ચિત્રકારે વધારે સુશોભનને ઉપયોગ ઠીકઠીક પ્રમાણમાં કરેલો છે. '
Plate XXXVIII ચિત્ર ૧૫રઃ પંચમુષ્ટિ લોચ. પાટણ ૩ની પ્રતના પાના ૩૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૬૮નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ઈન્દ્રના મસ્તક ઉપર છત્ર છે, એ અવાસ્તવિક છે, કારણકે ઈન્દ્ર.પ્રભુની પાસે આવે ત્યારે છત્ર વગેરેને ત્યાગ કરીને જ આવે; અને ઈન્દ્રને ચાર હાથ છે. વળી ચિત્ર ૬૮માં મહાવીર ઊભેલા છે, જ્યારે આ ચિત્રમાં બેઠેલા છે. ઉપરના - ભાગમાં આકાશમાં વાદળાં દેખાય છે.
ચિત્ર ૧૫૩ઃ મહાવીર-નિર્વાણ, પાટણ ૩ની પ્રતના પાન ૩૮ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન.
Plate XXXIX ચિત્ર ૧૫૪: ચંદ્રલેખા પાલખી. પાટણ ૩ની પ્રતના પાના ૩૪ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૩૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રમાં ચિત્રકારને વધારે મોટી જગ્યા મળવાથી ઊંચકનારા છ જણ તથા પાલખીનું સુંદર કલાવિધાન અને પાલખી ઉપરના બે મયૂરોની રજૂઆત ચિત્ર ૩૫થી વધારે છે. ': ચિત્ર ૧૫૫: પાર્શ્વનાથજીનું સમવસરણ. પાટણ ૩ની પ્રતના પાના ૪જ ઉપરથી. અનુ . પમ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે પોતાના આત્માને ભાવતા, પાર્શ્વનાથ