Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 426
________________ ૫૮ એટલે રાજ ચલાવ્યુ અને તેસઠ લાખ પૂર્વ વરસ જેટલેા સમય રાજ્યવાસમાં વસતાં તેમણે, જેમાં ગણિત મુખ્ય છે અને જેમાં શકુનરુતની એટલે પક્ષીઓના અવાજો ઉપરથી શુભઅશુભ પારખવાની કળા છેલ્લી છે એવી બહોતેર કળાએ, સ્ત્રીઓના ચેાસઢ ગુણા અને સેા શિલ્પો એ ત્રણે વાનાં પ્રજાના હિત માટે ઉપદેશ્યાં-શીખવ્યાં, એ બધું શીખવી લીધા પછી સો રાજ્યામાં સો પુત્રોના અભિષેક કરી દીધા. ત્યાર પછી વળી, જેમના કહેવાના આચાર છે એવા લેકાંતિક દેવાએ તેમની પાસે આવીને પ્રિય લાગે એવી યાવત્ વાણીવડે તેમને કહ્યું ઈત્યાદિ બધું જેમ આગળ આવેલું છે તે જ પ્રમાણે કહેવાનું છે—યાવત્ ‘ભાગદારીને દાન વહેંચી આપીને' ત્યાંસુધી. પછી જે તે ગ્રીષ્મ ઋતુના પ્રથમ માસ પ્રથમ પક્ષ એટલે ચૈત્ર માસના ૧૦ દિ॰ પક્ષ જ્યારે આવ્યા ત્યારે તે ચૈત્ર ૧૦ દિ આઠમના પક્ષમાં દિવસના પાછલા પહેારે જેમની વાટની પાછળ દેવા મનુષ્યા અને અસુરાની મેાટી મંડળી ચાલી રહી છે એવા કૈાલિક અરહત ઋષભ સુદર્શના નામની શિખિકામાં એસીને ચાવત્ વિનીતા રાજધાની વચ્ચેાવચ્ચ નીકળે છે, નીકળીને જે તરફ સિદ્ધાર્થવન નામનું ઉદ્યાન છે, જે તરફ અશાકનું ઉત્તમ ઝાડ છે તે તરફ જ આવે છે, આવીને અશાકના ઉત્તમ ઝાડની નીચે શિખિકાને ઊભી રખાવે છે ઈત્યાદિ બધું આગળ આવ્યું છે તે પ્રમાણે કહેવું યાવત્ પાતે જ ચાર મુષ્ટિ લેાચ કરે છે' ત્યાંસુધી. તે સમયે તેમણે પાણી વગરના છઠ્ઠુ ભક્તનું તપ કરેલ હતું, હવે એ સમયે આષાઢા નક્ષત્રના ોગ થતાં ઉગ્રવંશના, ભાગવંશના, રાજન્યવંશના અને ક્ષત્રિયવંશના ચાર હજાર પુરુષા સાથે તેમણે એક દેવ લઈને મુંડ થઈ ને ઘરવાસમાંથી નીકળી અને અનગાર ઇશાને ભિક્ષુદશાને સ્વીકારી. ૧૯૬ કાશલિક અરહત ઋષભે એક હજાર વરસ સુધી હંમેશાં પેાતાના શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું, શારીરિક વાસનાઓને છેડી દીધેલ હતી એ રીતે પેાતાના આત્માને ભાવિત કરતાં કરતાં તેમનાં એક હજાર વરસ વીતી ગયાં. પછી જ્યારે જે તે હેમંત ઋતુને ચેાથેા માસ, સાતમે પક્ષ એટલે ફાગણ માસના ૧૦ દિ॰ પક્ષ આવ્યા ત્યારે તે ફાગણ વ૦ દિ॰ અગીયારશના પક્ષે દિવસના આગળના ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અટ્ટમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું યાવત્ હવે તેઓ બધું જાણુતા વિહરે છે. ૧૯૭ કૌશલિક અરહત ઋષભને ચેારાશી ગણેા અને ચારાશી ગણધરા હતા. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં ઋષભસેન પ્રમુખ ચેારાશી હજાર શ્રમણાની ઉત્કૃષ્ટ શ્રમણુસંપત હતી. કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આફ્રિકાની ઉત્કૃષ્ટ આયિકાસંપત હતી.

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458