Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
બધી બાજુએ વળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લકમનું એ વર છે, તમામ પ્રકારનાં પણ વિનાને છે, શુભ છે, ચમકિલે છે, શોભાવડે ઉત્તમ છે, તથા તમામ તુનાં સુગંધી તેલની માળાઓ એ કળશના કાંઠા ઊપર મૂકેલી છે એવા સ્થાન પૂર્ણયને તે માતા જુએ છે. હું
૪૩ ત્યાર પછી વળી, પવસરેવર નામના સરોવરને માતા દસમા સ્વમમાં જુએ છે, એ સરોવર, ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં–સહસ્ત્રદલ–મોટાં કમળાને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળનાં રજકણે પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરેવરમાં ચારે કોર ઘણા બધા જળચર જીવે ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું લાંબું પહોળું અને ઊંડું એ સાવર સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કુવલય, રાતાં કમળો, મોટાં કમળો, ઊજળાં કમળો, એવાં અનેક પ્રકારનાં કમળોની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શોભાઓને લીધે જાણે કે ઝગારા મારતું હોય એવું દેખાય છે, સરોવરની શોભા અને રૂ૫ ભારે મનહર છે, ચિત્તમાં પ્રમોદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત-મધમાખીઓ એ બધાનાં ટોળાં કમળો ઉપર બેસી તેમને રસ ચૂસી રહ્યાં છે એવા એ સરોવરમાં મીઠા અવાજ કરનારા કલહંસ, બગલાંઓ, ચકવાઓ, રાજહંસ, સારસે ગર્વથી મસ્ત બનીને તેના પાણીનો ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરોવરનાં પાણીને હોંશે હોંશે ઉપયોગ કરે છે એવું એ સરવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલાં મોતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંઓ વડે ચિત્રોવાળું દેખાય છે, વળી એ સરેવર, જેનારનાં હૃદયને અને વેચનને શાંતિ પમાડે છે એવું છે એવા અનેક કમળોથી રમણીય દેખાતા એ સરેવરને માતા દસમે સ્વપ્ન દેખે છે. ૧૦
જ ત્યાર પછી વળી, માતા અગિયારમે સ્વપ્ન ક્ષીર સાગરને-કૂથના દરિચાને જુએ છે. એ ક્ષીરસાગરને મધ્યભાગ, જેવી ચંદ્રનાં કિરણોના સમૂહની શોભા હોય તેવી ભાવાળો છે એટલે અતિઉજળો છે, વળી, એ ક્ષીરસાગરમાં ચારે બાજુ પાણીનો ભરાવો વધ વધતો હોવાથી એ બધી બાજુએ ઘણે ઊંડે છે, એનાં માં ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હોવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હોય છે ત્યારે પવન એનાં માજની સાથે જોરથી અથાય છે તેથી જ જાણે જોરજોરથી દડવા લાગે છે, ચપળ બને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગો આમતેમ નાચતા હોય એવો દેખાવ થાય છે તથા એ તરંગે ભયભીત થયા હોય એમ અતિક્ષોભ પામેલા જેવા દેખાય છે એવા એ સહામણા નિર્મળ ઉદ્ધત કલેલેના મેળાપને લીધે જેનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ દરિયા કાંઠા તરફ દેહતે આવે છે અને ઘડીકમાં વળી એ પિતા તરફ પાછા હટી જાય છે એવો એ ક્ષીરસાગર ચમકતો અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મોટા મગરો, મોટા મોટા મછો, તિમિ, તિબિંગલ, નિરુદ્ધ અને વિલતિલિય નામના જળચરો પોતાનાં