Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૧૦
ઉદય હોય છે ત્યારે તે અરહંત ભગવંતે કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્ય કુલોમાં કે અધમ કુલેમાં કે તુચ્છ કુલમાં કે દળદરિયાં કુલમાં કે ભિખારીનાં કુલોમાં અને કંજુસનાં કુલોમાં પણ આવેલા છે કે આવે છે કે આવશે એટલે એવાં હલકાં કુલવાળી માતાઓની ફૂખમાં ગર્ભપણે ઉપજેલા છે કે ઉપજે છે કે ઉપજશે છતાં તે કુલેમાં તેઓ કદી જનમ્યા નથી કે જનમતા નથી કે હવે પછી જનમવાના પણ નથી.
૧૯ અને આ શ્રમણ ભગવંત મહાવીર જબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં માહણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગેત્રવાળા રિષભદત્ત માહણની ભારજા-પત્ની જાલંધરશેત્રની દેવાનંદા માહણી-બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ઉપજેલા છે.
૨૦ તે થઇ ગયેલા. વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શક્રોને એ આચાર છે કે અરહંત ભગવંતને તેવા પ્રકારનાં અંતકુલેમાંથી કે અધમ કુલેમાંથી કે તુચ્છકુલેમાંથી કે દળદરિયાં કુલોમાંથી કે ભિખારીનાં કુલોમાંથી કે કંજૂસનાં કુલમાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલેમાં કે ભેગવંશનાં કુલેમાં કે રાજન્યવંશનાં કુલેમાં કે જ્ઞાતવંશનાં કુલેમાં કે ક્ષત્રિયવંશનાં કુલોમાં કે હરિવંશનાં કુલમાં કે વિશુદ્ધ જાતિ કુલ અને વંશનાં તેવા પ્રકારનાં કેઈ બીજ ઉત્તમ કુલોમાં ફેરવી નાખવા ઘટે.
તો મારે સારુ ખરેખર શ્રેયસ્કર પ્રવૃત્તિ છે કે, આગળના તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી છે એવા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરને માહણૂકુંડગ્રામ નામના નગરમાંથી કેડાલગેત્રના માહણ રિષભદત્તની ભારજા-પત્ની જાલંધરગોત્રની માહણી દેવાનંદાની ફૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયોના વંશમાં થએલા કાશ્યપગેત્રવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વસિષ્ઠગેત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની ફૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણુ જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે એમ કરીને એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ હરિપ્લેગમેસિ નામના દેવને સાદ દે છે, હરિભેગમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઈન્દ્ર આ પ્રમાણે કહ્યું:
૨૧ હે દેવાનુપ્રિય! એમ ખરેખર છે કે કાજ લગી એ થયું નથી, એ થવા યોગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત ભગવંતા, ચક્રવતી રાજાએ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં, અધમકુલોમાં, કંજુસનાં કુલામાં, દળદરિયાં કુલમાં, તુચ્છ કુલોમાં કે ભિખારીનાં કુલેમાં આજલગી કઈવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કઈવાર આવનારા નથી, ખરેખર એમ છે કે, અરહંત ભગવત, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ ઉગ્રવંશનાં કુલેમાં, ભેગવંશનાં કુલોમાં, રાજન્યવંશનાં કુલોમાં, જ્ઞાતવંશનાં કુલમાં, ક્ષત્રિયવંશનાં કુલમાં,