Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ચિત્રવિવરણ
૨૫ Plate XVII ચિત્ર દદઃ જલપૂર્ણકુંભ. પાટણ ના પાના ૨૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૮૦નું આ ચિત્રનું જ વર્ણન,
આ ચિત્ર ૬૭ સૌધર્મેન્દ્ર. પાટણ રના પાના ૭ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૮૧નું આ ચિત્રનું જ વર્ણન.
- ચિત્ર ૬૮ઃ મહાવીરને પંચમુષ્ટિ લેચ. પાટણ ના પાના પ૮ ઉપરથી. અશોકવૃક્ષની હેઠળ આવી પ્રભુ નીચે ઊતર્યા અને પોતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછનો અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી રીતે પંચમુખિ લેચ કર્યો. એ વખતે પ્રભુને નિર્જળ છઠ્ઠન તપ હતા જ. ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ થયે ત્યારે ઇન્દ્ર ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષ રહિતપણે કેશ લેચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિકને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગૃહવાસને ત્યાગ કરીને સાધુપણને પામ્યા.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદુષ્ય વસ્ત્ર નથી; પરંતુ અશોકવૃક્ષની નીચે પોતાના ડાબા હાથે મસ્તકના વાળનો લોચ કરવાને ભાવ દર્શાવતા, ઈન્દ્રની સન્મુખ જેતા ભગવાન મહાવીર અને બે હાથ પ્રસારીને પ્રભુએ લેચ કરેલા વાળને ગ્રહણ કરવાની
; પરંતુ અશક
કરવાનો ભાવ દશ
અને બે હાથ પ્રસાર
સુકતા બતાવતા
- ચિત્ર લઃ પ્રભુ પાર્શ્વનાથનો પંચમુષ્ટિ લેચ. પાટણ ૨ના પાના ૭૨ ઉપરથી. વર્ણન તે માટે જુઓ ચિત્ર ૫૫નું આ પ્રસંગને લગતું જ વર્ણન. આ ચિત્રને ભાવ આબેહૂબ ચિત્ર ૬૮ને મળતો છે. માત્ર ચિત્ર ૬૮માં પ્રભુના શરીરને વર્ણ પીળો છે અને આ ચિત્રમાં પ્રભુના શરીરને વણું લીલે છે.
Plate XVIII - ચિત્ર ૭૦: પ્રભુ નેમિનાથને પંચમુષ્ટિ લોચ. પાટણ ૨ના પાના ૭૯ ઉપરથી. આ ચિત્રમાં પણ પ્રભુના શરીરને વર્ણ શ્યામ છે, તે સિવાયને બધે ભાવ ચિત્ર ૬૮ને આબેહૂબ મળતો છે.
વર્ષાકાળના પહેલા મહિનામાં, બીજા પખવાડિયામાં, શ્રાવણ મહિનાના અજવાળિયા પખવાડિયાની છઠ્ઠની તિથિને વિષે, પૂર્વાકાલ સમયે, ઉત્તરકુરા નામની પાલખીમાંથી ઊતરી રૈવતક નામના ઉદ્યાનમાં, અશોક વૃક્ષની નીચે, શ્રી નેમિનાથ પ્રભુએ પોતાના હાથે જ અલંકાર ઉતારી નાખ્યા અને પિતાની મેળે જ પંચમૃષ્ટિ લોન્ચ કર્યો.
ચિત્ર ૭૧ઃ ઋષભદેવને પંચમુષ્ટિ લોચ. પાટણ ૨ના પાને ૯૦ ઉપરથી. આ ચિત્રને ભાવ પણ ચિત્ર ૬૮ને સંપૂર્ણ રીતે મળ છે. - ચેત્ર માસના અંધારા પખવાડિયામાં, આઠમના દિવસે, દિવસના પાછલા પહેરે, સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં, અશોક વૃક્ષની નીચે, શ્રી ઋષભદેવ પ્રભુએ પોતાના હાથે જ અલંકારો ઉતારી નાખ્યા અને ચાર મુષ્ટિ વડે પોતાના કેશનો લોચ કર્યો. એક મુષ્ટિ કેશ બાકી રહ્યા ત્યારે તે એક મુષ્ટિ કેશલતા, સુવર્ણના કલશ ઉપર નીલ કમલની માળા જેવી રીતે શેભી ઊઠે તેવી રીતે પ્રભુના સુવર્ણ વર્ણવાળા દેદીપ્યમાન ખભા ઉપર, દીપી નીકળેલી જોઈને ઈન્દ્રને