________________
પાઠ : ૮
શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર કરો એક વખત ગૌતમસ્વામીજી તુંગિયાપુર નગરીમાં પધાર્યા હતા. વાત ચાલતાં તેમણે કેટલાકને તેમની ઉંમર પૂછી. કેઈએ ત્રણ વર્ષ કહ્યા, કેઈએ ત્રણ મહિના કહ્યા; કેઈએ દોઢ વરસ કહ્યું. મોટી-મેટી ઉંમરના માણસોને આ ઉંમર જાણુને ગૌતમસ્વામીજીએ સવાલ કર્યો કે, “તમે આ ઉંમર શા માટે ગણાવે છે?” તે શ્રાવકોએ કહ્યું “ગુરુદેવ ! ગણધર ભગવંત ! અમે જ્યારથી ધર્મ પામ્યા ત્યારથી ઉમર ગણવાનું શરૂ કરીએ છીએ. તેથી જ અમે દેખાતા સાઈઠ-સિત્તેર વર્ષના ત્રણ વર્ષની, સાડા ત્રણ મહિનાની કે બે વર્ષની ઉંમર કહી.” તંગિયાનગરીના શ્રાવકની જન ધર્મની કેટલી સૂક્ષ્મ સમજણ!
શું આવા ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ ન પકવી શકાય? જરૂર પકવી શકાય. આજને ત્યાગી વર્ગ જે દીક્ષા લેવા તૈયાર થતાં હોય તેવાઓ પ્રત્યે જ વિશેષ લક્ષ આપતે હોય છે. જેમની દીક્ષા લેવાની ભાવના જ હોતી નથી તેમના માટે ભેગ આપવાની આજના સાધુ-સાધ્વીજીઓમાં તૈયારી જણાતી નથી. આનું એક કટુ પરિણામ એ આવ્યું