________________
૧૪૮
મુનિજીવનની બાળપેથી-૩ જ્યારે બંગાળના અસલી જૈનને ફરજ પડતાં ધર્મત્યાગ પણ કરે પડ્યો હતો (જેએ આજે સરાક-જાતિને લેકે તરીકે ઓળખાય છે.) જ્યારે બૌદ્ધો ઉપર વિજ્ય મળ્યાના કેફમાં ઝનૂને ચડીને શંકરાચાર્યના અનુયાયીઓ કોમવાદનાં કારમાં આક્રમણ કરીને જન, બૌદ્ધોને ભારે નુકસાન પહોંચાડતા હતા, જ્યારે જેનેને પૂર્વભારત છોડવું પડ્યું હતું, વહાલી મગધની ભૂમિ પણ ત્યાગવી પડી હતી. તેવા સમયમાં જૈનધર્મને પુનઃ વ્યવસ્થિત કરવાની, જેનોને પૂરતી હિંમત આપવાની અને કેમવાદીઓને સખત પરાજય આપવાની મશાલ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજીએ ઉઠાવી હતી.
(૫૫) ગિરનારની કથા: દિગંબરેએ જૂનાગઢના રા'ખેંગારને પિતાને વશ કરી લઈને ગિરનારતીર્થ પિતાના કબજે કર્યું. તેમને જ ત્યાં ચડવાને અધિકાર રહ્યો. તે વખતે ગોંડલના ધારસી શાહે પોતાના સાત પુત્રો અને સાતસે સુભટ સાથે ગિરનાર મહાસંઘ કાઢયો. રા'ખેંગારના સૈનિકે સાથે ધીંગાણું થતાં તેના તમામ પુત્ર અને તમામ સૈનિકે માર્યા ગયા.
નાસી છૂટીને ધારસી શાહ વાલીઅર પહોંરયા. તેણે આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરિજીને સઘળી વીતક જણાવી. સૂરિજીએ પોતાના પરમભક્ત આમ રાજાને જણાવ્યું. તે રા'ખેંગાર સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયે. પણ સૂરિજીએ. સંહાર પ્રત્યે અનિછા દર્શાવી. યત્ન કરીને દિગંબર સાથે વાદ છે. તેમાં દિગંબરે હારી ગયા. વળી અંબિકાજી દ્વારા તીર્થની માલિકીને નિર્ણય કરવાનું નક્કી થયું.