________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૫૩ સૂક્ષ્મની તાકાત વિના તીર્થ રક્ષા કરવી એ લાકડાની તલવારે યુદ્ધ કરવા જેવી વાત છે. મહમદ છેલ નામના જાદુગરને એક જ મિનિટમાં સીધેર કરી નાખ્યો હતો. એક જ મુનિની સૂક્ષ્મ તાકાતે શંખેશ્વરજી તીર્થના દેવાયેલા બારણુંને છેડી જ મિનિટોમાં ખેલી દેવાયા હતા, ઉદયરત્નની સૂક્ષ્મ તાકાતે પરમાત્મા મહાવીરદેવે ચંડકૌશિક અને ગશાલાઓની આગને નિષ્ફળ બનાવી હતી. એ તેમનું સદ્ગતિઓ તરફ પ્રયાણ કરાવ્યું હતું–તેમની સૂક્ષ્મ તાકાતે જ દ્વારકાના દહનને અટકાવવાની, કૃત્યા રાક્ષસીને ભગાડી મૂકવાની અને કમલ પ્રસંગની મહાભારતમાં બનેલી ત્રણ ઘટનામાં સૂક્ષ્મની તાકાતના જ આપણને દર્શન થાય છે.
ચાલે, આપણે સૂક્ષ્મની તાકાત મેળવવા માટે ધર્મમાતાને શરણે જઈએ.
શાસ્ત્રવિચાર * [૧૩] પરિષહ, અહીં સંક્ષેપમાં ૨૨ પરિષહનું સ્વરૂપ જોઈ લઈએ.
૧. સુધા-ભૂખથી પીડાવા છતાં સાધુ એષણ સમિતિમાં દોષ ન સેવે, કિન્તુ દીન બન્યા વિના અપ્રમત્તપણે નિર્દોષ આહારાદિ માટે ફરે.
૨. તૃષા–વિહારાદિમાં તૃષાત થવા છતાં અદીન બની રહે. સચિત્ત ઠંડા પાણીની ઈચ્છા ન કરે.
૩. શીત–ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષેની છાલ વગેરેની કે વસ્ત્રોના અભાવમાં અકથ્ય ઈચ્છા ન કરે. મળે