Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 172
________________ -- --- મુનિજીવનની બાળપોથી-૩ ૧૬૩ પતનની શક્યતાને ખતમ કરી નાખવા માટે છ વિગઈના આજીવન ત્યાગની પ્રતિજ્ઞા આપી હતી. તેની સાથે માત્ર જુવારનું જ દ્રવ્ય વાપરવાની પ્રતિજ્ઞા આપી હતી. અભયમુનિને અભયદેવસૂરિ બનાવીને ગુરુદેવ દેવલેક થયા. કાલાન્તરે નીરસ અને વાયડા ખોરાકના સેવનને લીધે અભયદેવસૂરિજીને કોઢ થયે અત્યન્ત ચેપી અને ભારે પીડાકારક. રોગ એટલી હદે વકર્યો કે સમાધિ પણ ટકવાનું મુશ્કેલ બની ગયું. એથી જ એમણે ખંભાત પાસે આવેલી શેઢી નદીના કિનારે આજીવન અનશન કરવાની પૂરી તૈયારીએ કરી લીધી. પરંતુ તે જ વખતે પદ્માવતીજીએ પ્રગટ થઈને તેમને અનશન કરતાં વાર્યા, એટલું જ નહિ; પરન્તુ તેમની રોગપીડાને શાન્ત કરી અને તેમને શેષ જીવન આગમગ્રંથની ટીકા રચવા માટે લગાવી દેવાની નમ્ર વિનંતિ કરી. ત્યાર પછી અભયદેવસૂરિજીએ નવ અંગેની ટીકા તૈયાર કરીને જનશાસનની બેનમૂન સેવા કરી. (૬૨) કીર્તિધર અને સુકોશલ મુને : પિતા કીર્તિધર દીક્ષિત થઈને એક વાર પેતાના નગરની બહારના ઉદ્યાનમાં આવ્યા. પિતાની પાછળ પુત્ર સુકેશલ પણ દીક્ષા લઈ લે તે ભયથી રાજમાતા સહદેવીએ તેમને નગરપ્રવેશની મનાઈ કરી. આ વાતની મુકેશલને ખબર પડતાં તેને ભારે આઘાત લાગે. ઉદ્યાનમાં જઈને પિતા-મુનિ પાસે ખૂબ રડીને ક્ષમા માગી. માતાની ભૂલના પ્રાયશ્ચિત્તરૂપે દીક્ષા આપવા આગ્રહ કર્યો. આ વાત જાણીને સઘળાં ય કુટુંબીજને આવી ગયા ?

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210