Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 170
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૬t આચાર્યદેવે પોતાના શિષ્યોને આસપાસનાં ગામોમાં મોકલી આપ્યા. તેમના દ્વારા ચોરે ચૌટે ઊભા રહીને તમામ લોકોને ખબર આપવામાં આવી કે નાગશ્રી નામની એક સ્ત્રીએ મુનિહત્યાનું ઘોર પાપ કર્યું છે. નાગશ્રીને તેના જાત-ભાઈઓએ તિરસ્કારીને નગરમાંથી હદપાર કરી. બિચારી ! દીર્ઘ કાળ સુધી સંસારમાં ભટકી. આ નાગશ્રી એક વાર સુકુમાલિકા થઈ. સાંસારિક જીવનમાં ભયંકર ત્રાસ અનુભવીને સાધ્વી થઈ ગુરુની ઉપરવટ જઈને સાધના કરતાં એક વાર પાંચ પરપુરુષે સાથે વેશ્યાને જોઈને તે આનંદ પામવાનું નિયાણું કર્યું. અને તેના ફળરૂપે તે દ્રૌપદી થઈ. સ્વયંવરમાં અર્જુનને જ વરમાળા નાખવા છતાં બાકીના ચારેય પાંડવોના ગળામાં પણ વરમાળા જોવા મળી તેનું કારણ આ નિયાણું જ હતું. (૫૦) બાળમુનિ ધનશર્મા: ઉજજયિનીનગરીના વણિક ધનમિત્રે પોતાના બાળ-પુત્ર ધનશર્મા સાથે દીક્ષા લીધી. એકદા ઉનાળાના વિહારમાં બાળમુનિ કારમી તૃષાથી પીડાવા લાગ્યા. પિતા-મુનિને દયા આવી જતાં પાસેની નદીનું પાણી પી લેવા જણાવ્યું. પોતાની હાજરીથી તે પાણી નહિ પીએ એવી કલ્પના કરીને પિતા-મુનિ ઝડપથી આગળ નીકળી ગયા. બાળ-મુનિ નદીતટની ધગધગતી રેતીમાં જ બેસી ગયા. અસહ્ય તૃષાથી તેમને જીવ નસનસમાંથી ખેંચાત. હતું. થોડી જ મિનિટમાં પારીષહ સહવા મળે. તેની ભારે પ્રસન્નતા સાથે બાળમુનિએ પ્રાણ છોડી દીધા. તે ૧૧

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210