SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૬t આચાર્યદેવે પોતાના શિષ્યોને આસપાસનાં ગામોમાં મોકલી આપ્યા. તેમના દ્વારા ચોરે ચૌટે ઊભા રહીને તમામ લોકોને ખબર આપવામાં આવી કે નાગશ્રી નામની એક સ્ત્રીએ મુનિહત્યાનું ઘોર પાપ કર્યું છે. નાગશ્રીને તેના જાત-ભાઈઓએ તિરસ્કારીને નગરમાંથી હદપાર કરી. બિચારી ! દીર્ઘ કાળ સુધી સંસારમાં ભટકી. આ નાગશ્રી એક વાર સુકુમાલિકા થઈ. સાંસારિક જીવનમાં ભયંકર ત્રાસ અનુભવીને સાધ્વી થઈ ગુરુની ઉપરવટ જઈને સાધના કરતાં એક વાર પાંચ પરપુરુષે સાથે વેશ્યાને જોઈને તે આનંદ પામવાનું નિયાણું કર્યું. અને તેના ફળરૂપે તે દ્રૌપદી થઈ. સ્વયંવરમાં અર્જુનને જ વરમાળા નાખવા છતાં બાકીના ચારેય પાંડવોના ગળામાં પણ વરમાળા જોવા મળી તેનું કારણ આ નિયાણું જ હતું. (૫૦) બાળમુનિ ધનશર્મા: ઉજજયિનીનગરીના વણિક ધનમિત્રે પોતાના બાળ-પુત્ર ધનશર્મા સાથે દીક્ષા લીધી. એકદા ઉનાળાના વિહારમાં બાળમુનિ કારમી તૃષાથી પીડાવા લાગ્યા. પિતા-મુનિને દયા આવી જતાં પાસેની નદીનું પાણી પી લેવા જણાવ્યું. પોતાની હાજરીથી તે પાણી નહિ પીએ એવી કલ્પના કરીને પિતા-મુનિ ઝડપથી આગળ નીકળી ગયા. બાળ-મુનિ નદીતટની ધગધગતી રેતીમાં જ બેસી ગયા. અસહ્ય તૃષાથી તેમને જીવ નસનસમાંથી ખેંચાત. હતું. થોડી જ મિનિટમાં પારીષહ સહવા મળે. તેની ભારે પ્રસન્નતા સાથે બાળમુનિએ પ્રાણ છોડી દીધા. તે ૧૧
SR No.022886
Book TitleMuni Jivanni Balpothi Part 03
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy