Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 156
________________ મુનિજીવનની બાળપોથી-૩ ૧૪૭ જેઈને પ્રસન્ન થઈ ગએલાં દેવીએ તેમને વદમાં સદા અજેય રહેવાનું વરદાન આપ્યું. આગળ ઉપર આ મુનિવર સૂરિ પદે આરૂઢ થયા. તેમની પ્રચંડ પુણ્યશક્તિ જોઈને ગુરુદેવને સૂરિપદ અર્પણ કરતાં ભારે મૂંઝવણ થઈ હતી. વધુ માન-સન્માન અને ભક્તિ એમના પતનનું કારણ તે નહિ બને ને ? એ ભયથી તે. પણ તેમના મુખ ઉપરની મૂંઝવણને બપ્પભટ્ટીમુનિ પામી ગયા. તેમણે તે જ ક્ષણે જીવનભર માટે છ વિગઈએ (મૂળથી) અને ભક્તોના ઘરની ભિક્ષાને સંપૂર્ણ ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. પતનું મૂળ જ કાપી નાખ્યું; રસનેન્દ્રિયની લોલુપતા. આથી ગુરુદેવે અતિ પ્રસન્ન થઈને અંતઃકરણના ભાવભર્યા આશિષ આપ્યા; “તું મહાબ્રહ્મચારી બનજે.” અને આ આશિષે જ બપ્પભટ્ટસૂરિજીને, આમરાજા તરફથી થએલી–નર્તકીને રાત્રે મોકલીને પતન કરવા સુધીની –અગ્નિ પરીક્ષામાંથી અણિશુદ્ધ પાર ઉતાર્યા હતા. (૫૪) કટોકટીના સમયમાં પ્રદ્યુમ્નસૂરિજી: જે સમયમાં જન-ધર્મ ઊપર ઉગ્ર કક્ષાનાં આક્રમણ થતાં હતાં; જ્યારે શંકરાચાર્યના અનુયાયીઓ ઝનૂને ચડીને જેને ઉપર સશસ્ત્ર હુમલાઓ કરતા હતા, જ્યારે જેની મોટા પ્રમાણમાં નગરોમાંથી હિજરત થતી હતી, જ્યારે પંચાસરને અને વલ્લભીને ભંગ થયું હતું, જ્યારે દુષ્કાળને કારણે પણ જૈનસંઘને પારાવાર મુશ્કેલીમાં મુકાવું પડ્યું હતું,

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210