________________
પ્રકરણ બીજું.
- તે કાળ તે સમયને વિષે એટલે શ્રેણુંરાજાને કેક નામે પુત્ર રાજ્યાધિકાર પર હતાતે સમયે ચંપા નામની નગરી હતી. તે નગરી રાજગ્રહ નગરી પેઠે નગરના સર્વે લક્ષણોએ કરી સંપુર્ણ ગુણું વાળી હતી, એટલે વાવ, કુવા, તળાવ, બાગ, બગીચા, વાડીઓ ઉદ્યાન, વન વગેરેએ કરી સંપુર્ણ શેભનીક હતી. તેની આંતર વ્ય વસ્થા પણ રાજગ્રહની પેઠે સુશોભિત હતી, તે ચંપા નગરીની બહાર ઉત્તર અને પૂર્વદિશાની વચ્ચે એટલે ઇશાનકાણમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. ને તેજ ચંપા નગરી કોણક રાજાની રાિધાની હતી. તેણે પિતાના પિતા પાસેથી બળાત્કારે રાજ્ય લેતાં લીધું તે ખરું પણ તેથી કેમાં બદબઈ થવાથી પિતે રાજગ્રહ નગરને બદલે ચંપાપુરીને રાજ્યધાની કરી ત્યાં રહેવા લાગ્યું. તે કાળે ચંપાનગરીના પૂર્ણભદ્ર નામે ઉદ્યાનમાં એકદા સમયે શ્રમણ ભગવંત શ્રી મહાવીર દેવને અંતેવાસી શિષ્ય પાંચમા ગણધર અને પ્રભુ મહાવીરના નિવણ પછી પાટે આવેલા આર્ય શ્રી સુધમોસ્વામી પાંચ સાધુના પરિવારે પધાર્યા તે સુધર્માસ્વામી કેવા હતા ?
માતાપિતાના ઉત્તમ પક્ષવાળા, ઉત્તમ સંઘયણ હોવાથી ઘણા બળવાળા, અનુત્તર વિમાનવાસી દેવ કરતાં સુંદર રૂપવાળા, વિનયવાળા, ચાર જ્ઞાને કરી સહીત, ક્ષાયક સમક્તિવાળા, ચારિત્રવાળા, દ્રવ્યથી અલ્પ ઉપાધીવાળા અને ભાવથી ઋદ્ધિ, રસ, અને માતા એ ત્રણના ગર્વ વિનાના, મનસંબંધી તેજવાળા એટલે મનના ચડતા પરિણામવાળા, શરીરની સુંદર કાંતીવાળા, પ્રભાવવાળા, યશસ્વી, ક્રોધ, માન, માયા અને લોભ એ ચારેના જીતનારા, પાંચે ઇન્દ્રિયોને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com