________________
૧૩
તેમના પગ નીચે પણ અનેક છુંદાઈ કચડાઈ ગયા. અને ખેલેથી છૂટેલા એ પશુઓની આંધળી દોડાદેડને પરિણામે ધૂળની એવી ડમરીઓ ચઢી, આકાશમાં, કે (કન્યા ]િ તમ) રાતને અંધકાર જાણે બેવડા !
આમાં કેણ કેવી રીતે બચે ! એક જ માર્ગ હતે, નાસી છૂટવાને. શિબિરમાંથી નીકળી જઈ, બહાર સલામતી શેધવાને! પણ શિબિરદ્વાર પર તે કૃતવર્મા અને કૃપ ઊભા હતા, સંહારસજ્જ !
આવે વખતે રહી રહીને સૌને પાંડવો અને ખાસ કરીને અર્જુન અને કૃષ્ણ સાંભરતા હતા. એ પાંચ ભાઈઓ અને વાસુદેવ જે અત્યારે હાજર હેત, આ છાવણીમાં, તે આવું કંઈ ન જ બનત ! સાંનિધ્યાત્ વવાના–પાંડવોની ગેરહાજરીને કારણે જ આવું બન્યું, તેમને થતું હતું; અશ્વત્થામા તે શું, પણ યક્ષો, ગાંધર્વો, રાક્ષસો અને અસુરો સૌ સામટા ચઢી આવે તે પણ, શ્રીકૃષ્ણ જેમના રક્ષણહાર છે, એવા પાંડવોને કોણ હરાવી શકે ! (જોતા યસ્થ કાર્ડનઃ ) .
પાંડવોના સર્વનાશની પોતાની પ્રતિજ્ઞા આમ પૂરી કરીને અશ્વત્થામા જેવી ચૂપકીદીથી છાવણમાં દાખલ થયો હતો, તેવી જ ચૂપકીદીથી બહાર નીકળી ગયે. કૃપાચાર્ય અને કૃતવર્માને તેણે પોતે કરેલ પરાક્રમ વર્ણવી બતાવ્યું, અને તેમણે પણ તેના કાનમાં પ્રિય શબ્દો સંભળાવ્યા (), અને અન્યને અભિનન્દન આપતા તેઓ દુર્યોધન પાસે જવા ઊપડ્યા-જે એ જીવતા હોય તે એના કાનમાં પણ અમૃત રેડવા !
સંજયને મોંએથી અશ્વત્થામાના આ “પરાક્રમ”ની વાત સાંભળતાં સાંભળતાં ધૃતરાષ્ટ્રને પણ તેના પ્રત્યે જુગુપ્સા ઉત્પન્ન થઈ હોય એમ લાગે છે. અશ્વત્થામાના નિશા-નિકંદનને શુદ્ર વિશેષણ વડે નવાજતાં સંજયને એ પૂછે છેઃ “આ શુદ્ર કાર્ય અશ્વત્થામાએ મારા પુત્રના મૃત્યુ પછી કર્યું, તે, તે જીવતે હતા ત્યારે કેમ ન કર્યું ?” (ધૃતરાષ્ટ્ર પૂરેપૂરો વાસ્તવદર્શી છે. “અધર્મ' ગણાતું કાર્ય પણ નકામું શું કરવા કરવું, એવો તેને મત છે. પણ ધૃતરાષ્ટ્ર એ ભૂલી જાય છે કે અશ્વત્થામાએ ઓ શુદ્ર કાર્ય તેના -પુત્રને વિજ્ય અપાવવા માટે નથી કર્યું, પણ પિતાને વૈરની તૃપ્તિ અર્થે કરેલ છે.) . . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com