________________
જૈન યુગ
૪
જાન્યુઆરી ૧૯૬૦
બધાં પાછળ કોઈ એક જ પરમગૂઢ તત્વ હોય, પણ આ જુદા જુદા કવિઓએ કરેલી પ્રાર્થનાઓ, દશ્યમાન પ્રકૃતિના કોઈને કોઈ પ્રતીકને આશ્રયીને ઉભવી છે
આવી જુદાં જુદાં પ્રતીકોને સ્પર્શતી પ્રાર્થનાઓને ત્રણ રૂપે ઓળખાવાતી. બ્રહ્મના આ પ્રાથમિક અર્થમાંથી ક્રમે ક્રમે અનેક અર્થો ફલિત થયા. જે યજ્ઞોમાં આ સૂક્તોનો વિનિયોગ થતો તે પણ બ્રહ્મ કહેવાયાં. તેના નિરૂપક ગ્રંથો અને વિધિવિધાન કરનાર પુરોહિતો પણ બ્રહ્મ, બ્રહ્મા કે બ્રાહ્મણ તરીકે વ્યવહારાયા. અને પ્રાચીન કાળમાં જ પ્રકૃતિનાં એ વિવિધ પાસાંઓ કે દિવ્ય સત્ત્વો, એ બધાંને એક જ તસ્વરૂપે પણ
ઓળખાવવામાં આવ્યાં. અને વેદના પ્રથમ • મંડળમાં જ સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે, ઈન્દ્ર, મિત્ર, વરુણ, અગ્નિ ઇત્યાદિ જુદાં જુદાં નામોથી જે સ્તવાય અને ગવાય છે, તે તો છેવટે એક જ તત્વ છે અને તે તત્વ એટલે સત. આમ પ્રકૃતિનાં અનેક પ્રતીકો છેવટે એક સતરૂપ પરમ તત્ત્વમાં વિશ્રામ પામ્યાં અને એ વિચાર અનેક રીતે આગળ વિકસતો અને વિસ્તરતો ગયો.
સમભાવના ઉપાસકો સમન કે સમા કહેવાયા. સંસ્કૃતમાં એનું રામન અને શાન એવું રૂપાંતર થયું છે, પણ સન શબ્દ સંસ્કૃત જ હોઈ તેનું સંસ્કૃતમાં
મન એવું રૂપ બને છે. હ્મનના ઉપાસકો અને ચિંતકો બ્રાહ્મણ કહેવાયા. પહેલો વર્ગ મુખ્યપણે આત્મલક્ષી ઘો; બીજે વર્ગ વિશ્વપ્રકૃતિમાંથી પ્રેરણા પામેલો અને તેનાં જ પ્રતીકો દ્વારા સૂક્ષ્મતમ તત્વ સુધી પહોંચેલી, તેથી મુખ્યપણે પ્રકૃતિલક્ષી રહ્યો. આ રીતે બન્ને વર્ગની બુદ્ધિનું આદ્ય પ્રેરક સ્થાન જુદું જુદું હતું, પણ બન્ને વર્ગની બુદ્ધિનાં વહેણ તો કોઈ અંતિમ સત્ય ભણી જ વધે જતાં હતાં.
વચલા અનેક ગાળાઓમાં આ બને વહેણોની દિશ ફંટાતી કે ફંટાયા જેવી લાગતી. કયારેક એમાં સંઘર્ષ પણ જનમતો. પણ સમનો આત્મલક્ષી પ્રવાહ છેવટે સમગ્ર વિશ્વમાં ચેતનતત્વ છે, અને એવું તત્વ બધા દેહધારીમાં સ્વભાવે સમાન જ છે, એ સ્થાપનામાં વિરમ્યો. તેથી જ તેણે પૃથ્વી, પાણી અને વનસ્પતિ સુધાંમાં ચેતનતત્ત્વ નિહાળ્યું અને અનુભવ્યું. બીજી બાજુ પ્રકૃતિલક્ષી બીજો વિચારપ્રવાહ વિશ્વનાં અનેક બાહ્ય પાસાંઓને સ્પર્શતાં સ્પશતાં અંતર તરફ વળ્યો અને
એણે ઉપનિષદકાળમાં એ સ્પષ્ટપણે સ્થાપ્યું કે જે અખિલ વિશ્વના મૂળમાં એક સર કે હ્મ તત્ત્વ છે, તે જ દેહધારી વ્યક્તિમાં પણ છે. આમ પહેલા પ્રવાહમાં વ્યક્તિગત ચિંતન સમગ્ર વિશ્વના સમભાવમાં પરિણમ્યું અને તેને આધારે જીવનનો આચારમાર્ગ પણ ગોઠવાયો. બીજી બાજુ વિશ્વના મૂળમાં દેખાયેલું પરમ તત્વ તે જ
વ્યક્તિગત જીવ છે, જવ વ્યક્તિ એ પરમ તત્ત્વથી ભિન્ન છે જ નહીં, એવું અદ્વૈત પણ સ્થપાયું.
અને એ અનને આધારે જ અનેક આચારોની યોજના પણ થઈ. ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાનો જુદાં જુદાં, પણ છેવટે તે બન્ને પ્રવાહો એક જ મહાસમુદ્રમાં મળે છે, તે જ પ્રમાણે આભલક્ષી અને પ્રકૃતિલક્ષી બન્ને વિચારની ધારાઓ અંતે એક જ ભૂમિકા ઉપર આવી મળી. ભેદ દેખાતો હોય તો તે માત્ર શાબ્દિક, અને બહુ તો વચલા ગાળામાં સંઘર્ષને પરિણામે ઉત્પન્ન થયેલા સંસ્કારોને કારણે.
એ ખરું છે કે સમાજમાં, શાસ્ત્રોમાં અને શિલાલેખ આદિમાં પણ વ્રત અને સમની આસપાસ પ્રવતલા વિચાર અને આચારના ભેદો કે વિરોધોની નોંધ છે; આપણે બૌદ્ધ પિટકો, જૈન આગમ અને અશોકના શિલાલેખો, તેમ જ બીજા અનેક ગ્રંથોમાં બ્રાહ્મણ અને શ્રમણ, એ બે વર્ગોનો ઉલ્લેખ જોઈએ છીએ; મહાભાષ્યકાર પતંજલિએ આ બન્ને વગને શાશ્વત વિરોધી રૂપે પણ નિર્દેશ્યા છે. આમ છતાં, ઉપર કહેવામાં આવ્યું છે તેમ, એ બને પ્રવાહો પોતપોતાની રીતે એક જ પરમ તત્ત્વને સ્પર્શે છે, એવું પ્રતિપાદન કરવામાં આવે તો એ કઈ દષ્ટિએ? આ પ્રશ્નનો ખુલાસો કર્યા વિના તત્વજિજ્ઞાસા સંતોષાય નહીં.
એ દષ્ટિ તે પરમાર્થની. પરમાર્ગદષ્ટિ કુળ, જાતિ, વંશ, ભાષા, ક્રિયાકાંડ અને વેશ આદિના ભેદાને અતિક્રમી વસ્તુના મૂળગત સ્વરૂપને નિહાળે છે, એટલે તે સહેજે અભેદ કે સમતા ભણી જ વળે છે. વ્યવહારમાં ઉભા થયેલા ભેદો અને વિરોધો સંપ્રદાયો તેમ જ તેના અનુગામીઓમાં પ્રવર્તેલા, અને ક્યારેક તેમાંથી સંધર્ષ પણ જનમેલો. એ સંઘર્ષના સૂચક બ્રાહ્મણ-શ્રમણ વર્ગોના ભેદોની નોંધ તો સચવાઈ પણ આ સાથે પરમાર્થ દૃષ્ટિને પામેલ એવા પ્રાજ્ઞ પુરુષોએ જે ઐક્ય જોયું કે અનુભવ્યું તેની નોંધ પણ અનેક પરંપરાનાં અનેક શાસ્ત્રોમાં સચવાઈ છે. જેને આગમો, કે જેમાં બ્રાહ્મણ