Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 108
________________ જેન યુગ માર્ચ-એપ્રિલ ૧૯૬o પ્રાપ્ત કર્યું તે જ ઈશ્વરને શુદ્ધ આત્મારૂપે–પરમાત્મારૂપે ભજવું એ જ શ્રેયસ્કર છે. કારણ કે આત્મસ્વરૂપને પામેલા શુદ્ધ આત્મામાં જ–પરમાત્મામાં જ ખરેખરું ઈશ્વરપણું-ભગવતપણું ઘટે છે; અને ઉક્ત છ પ્રકારનું ભગ” આ જગતમાં કોઈને વિષે પરમોત્કૃષ્ટપણે પ્રકાશમાન હોય તો તે તેવા શુદ્ધ આત્મારૂપ–પરમાત્મારૂપ અહંત ભગવત અર્થાત જિનેશ્વર ભગવાનને વિષે જ છે. તે આ પ્રકારે – ઐશ્વર્યરૂપ ભગઃ રૂપસ્વરૂપ ભગઃ યશરૂ૫ ભમઃ (૧) આ ભગવંતનું સમગ્ર-સંપૂર્ણ ઐશ્વર્ય તે ઈદ્રોથી ભક્તિનમ્રપણે કરવામાં આવેલ મહાપ્રાતિહાર્ય વિભૂતિરૂપ છે, આ અષ્ટ મહાપ્રાતિહાર્ય પરથી આ ભગવંતોનું સમગ્ર ઐશ્વર્યરૂપ “ભગ” સ્પષ્ટ જણાય છે. અથવા પ્રકારમંતરથી સર્વ દોષ-આવરણની હાનિથી જે અનંતજ્ઞાનાદિ આત્યંતર ઐશ્વર્ય પ્રગટયું તે જ આ ભગવંતનો આધ્યાત્મિક મહિમાતિશય પોકારતું સમગ્ર ઐશ્વર્યરૂપ ભગ છે. (૨) અનુત્તર વિમાનના દેવ કરતાં પણ આ ભગવંતનું રૂપ અનંતગણું અભિરામ–પરમ સુંદર હોય છે, આમ અનુપમ રૂપસ્વરૂપ “ભગથી’ પણ આ “ભગવંત” સમગ્ર-સંપૂર્ણ હોય છે; અથવા આધ્યાત્મિક દ્રષ્ટિથી જોઈએ તો જેણે પોતાની સમસ્ત ચિત્તવૃત્તિઓરૂપ ગોપીઓને પોતાના અનુપમ આત્મસ્વરૂપસૌંદર્યથી આકષ્ટ કરી અંતર્મુખ કરી હતી એવા આ ભગવંતનું આત્મસ્વરૂપસૌંદર્ય અનુપમ છે. (૩) અને આ ભગવંતનો યશ તો—“વાસ્તુ રાવપરીવાસવરામસમુહ્યું ઐોયાના પ્રતિ –રાગ-દ્વેષ-પરીષહઉપસર્ગમાં પરાક્રમથી સમુથ, કૈલોક્યઆનંદકારી અને આકાલપ્રતિક એવો સમગ્ર-સંપૂર્ણ છે. શ્રીરૂપ ભગઃ ચરણ કમલ કમલા વસે રે’ (૪) આ ભગવંતે ઘાતકર્મનો ઉછેદ કરવાનું વિક્રમપરાક્રમ દાખવ્યું, તેથી તેમને કેવલાલોક-કેવલજ્ઞાનપ્રકાશ પ્રાપ્ત થયો, એટલે તેમને નિરતિશય પરમ સુખસંપતસમન્વિતતા થઈ, એ જ આ ખરેખરા “શ્રીમદ' ભગવાનનું શ્રીરૂપ “ભગ” છે. આ ગ્રંથમાં ભગવાનને માટે “પુવરપુરી” એવું એક ઉત્તમ પદ પ્રયોજ્યું છે, તે પરથી પણ આ ભગવાનના અનન્ય અનુપમ શ્રીમદુપણાનો જ ભાવ વ્યંજિત થાય છે. આ ઉપમાનો બિંબ–પ્રતિબિંબ ભાવ મહાકવિ હરિભદ્રજીએ અત્રે સાંગો- પાંગ ધટાવ્યો છે. પુણ્ડરીકો જેમ સર્વ કમલજાતિમાં વરસર્વોત્કૃષ્ટ છે, તેમ આ ભગવંતો પુરુષોમાં વર પુરીક સમાન સર્વશ્રેષ્ઠ હોઈ પુwવરપુરીકો છે. પુણ્ડરીકો એવા પ્રકૃતિસુંદર–સ્વભાવથી સુંદર છે કે સૌદર્યમૂર્તિ ભુવનલક્ષ્મી પણ ત્યાં આવીને નિવાસ કરે છે ને તે મન-નયન આદિને આનંદનું આયતન-ધામ થઈ પડે છે; તેમ અતિશયયોગે કરી આ ભગવંતો એવા પરમ સુંદર છે કે કેવલથી આદિ ગુણસં૫૬ આવીને તેમનામાં નિવાસ કરે છે, ને તેમના દર્શનાદિ આનંદના હેતુઓ થઈ પડે છે. “સુરક્ષાતિરાયથોન, નિવાસી Tagઢઃ'. આ અંગે કવિવર શ્રી આનંદઘનજીએ પરમ સુંદર ઉઝેક્ષા કરી છે કે-હે ભગવંત! આપ શ્રીમના ચરણકમલમાં કમલા-શ્રી નિવાસ કરે છે, તે સમલ અને અસ્થિર પદરૂપ પંકજને પામર તુચ્છ લેખી ને તમારા ચરણ-કમલને નિર્મલ સ્થિર પદરૂપ દેખીને જાણે તેમ કરતી હોયની ! આમ કમલા જેના ચરણકમલમાં વસે છે એવા હે શ્રીમદ્ ભગવંત! મહારો આ મનમધુકર તમારા શ્રીમદ્ ચરણકમળમાં એવો મુગ્ધ બન્યો છે, કે તે સુવર્ણમય મેસને અને ઇંદ્ર-ચંદ્ર–નાગૅદ્રને પણ રંક ગણી, તમારા ગુણ-મકરંદના પાનમાં લીન થઈ ગયો છે. ચરણકમલ કમલા વસે રે, નિર્મલ થિર પદ લેખ; સમલ અથિર પદ પરિહરી રે, પંકજ પામર દેખ... વિમલ જિન દીઠા લોયણ આજ. મુજ મન તુજ પદ પંકજે રે, લીનો ગુણ મકરંદ; રંક ગણે મંદર ધરા રે, ઇંદ્ર ચંદ્ર નાર્ગદ્ર...વિમલ.” -શ્રી આનંદઘનજી ધર્મરૂપ ભગઃ પ્રયત્નરૂપ ભગ: અનંતવીર્ય ભગવંત તેમજ-(૫) આ ધર્મમૂર્તિ ભગવંતનું ધર્મરૂપ ‘ભગ’ પણ સમગ્ર છે; સાશ્રવ–અનાશ્રવ મહાયોગરૂપ કિવિધ, સમ્યગ્દર્શનાદિરૂપ ત્રિવિધ અને દાનાદિરૂપ ચતુર્વિધ એવો આ ભગવંતોનો ધર્મ પરમોત્તમ હોવાથી સર્વ પ્રકારે આ ભગવંતોનું ધર્મરૂપ ભગ સમગ્ર-સંપૂર્ણ છે. અને (૬) આ ભગવંતોનું પ્રયત્નરૂ૫ ‘ભગ’ પણ સમગ્ર છે. આ પ્રયત્ન “Gરમવીર્યસમુથઃ'- પરમ વીર્યથી સમુથ-ઉત્પન્ન થયેલ, એકરાત્રિની આદિ મહાપ્રતિમા ભાવનો હેતુ અને સમુદ્ધાત–શેલેશી અવસ્થાથી વ્યંગ્યવ્યક્ત થતો એવો છે. જેટલું અને જેવું આત્માનું વીર્ય-સામર્થ્ય તેટલો અને તેવો પ્રયત્ન થઈ શકે. આ

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154