Book Title: Jain Yug 1960
Author(s): Sohanlal M Kothari, Jayantilal R Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 45
________________ જૈત યુગ રાખવાનું તેમ જ પ્રાણવાન બનાવાનું કામ સભાનું પોતાનું જ છે, પણુ ક્યારેક, એક યા બીજા કારણે, સમાજ પોતાની આ જવાબદારીને વીસરી જાય છે અથવા એની ઉપેક્ષા કરે છે; ત્યારે એનું પરિણામ પોતાને હાથે જ પોતાની જાતને નુકસાન પહોંચાડવા જેવું આવે છે કોન્ફરન્સ આર્થના વ્યવહારમાં પોતાને હાથે આવું તો કાંઈ નથી થતું ને? એનો વિચાર જૈન સમાજે કરવાની ખાસ જરૂર છે. હા, બેટલું સાચું છે કે સંસ્થાઓને નતા કાર્યકરો અને ખાસ કરીને એને મળતી નેતાગીરી પણ સંસ્થાના વિકાસમાં ઘણો મોટો ભાગ ભજવે છે. પણ છેવટે તો એ કાર્યકરો અને એ. બાષાનો પણ સમાજમાંથી જ આવે છે એટલું ધ્યાનમાં રહે તો કોઈપણ સંસ્થાને શક્તિશાળી અને પ્રગતિશીલ બનાવીને, એની ભારત એટલે કે એનો ઉપયોગ કરીને, સમાજને સત્ત્વશાળી અને પ્રગતિવાન બનાવવો, એ પણ સમાજનું પોતાનું જ કામ છે, એ સમજતાં વાર ન લાગે. આ રીતે ત્યારે દરેક અભ્યુ૫વા સમાજ દ્વારા સેવાની સંસ્થાઓની સ્થાપના કરવાની જરૂરની સ્વીકાર કરવામાં આવે છે, ત્યારે સવાલ એ થાય છે કે એ સંસ્થાએ શું શું કામો કરવાં, અને સમાજનું ઘણું કરવાની પોતાની જવાબદારીને અા કેવી રીતે કરવી ? અમારી સમજ પ્રમાણે આ કામ એકબે વ્યક્તિઓ અમુક સમયે ભેગી મળીને નક્કી કરી શકે એવું નથી. આ માટે દીર્ધદષ્ટિ અને સમયજ્ઞતા ધરાવતા અનેક કાર્યકરોએ વારંવાર મળીને વિચાર કરવો જોઈ એ, અને પકડાયેલી પરિસ્થિતિમાં ક્યારે માં કરવાની જરૂર છે, એનો પૂરો તાગ મેળવીને સંસ્થાનું સંચયન અને સમાજને માર્ગદર્શન કરવું જોઈએ. આામ કરવામાં અત્યારે ઘણીવાર બને છે તેમ, વાઘવાદ કેવળ ચર્ચા. વિચારણા હું જ બધો સમય અને બધી શક્તિ ખરચાઈ ન જાય, એનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. જો આધારયન્ય અને ખોટી ચર્ચાના બદલે વ્યવહારુપણાનો ખ્યાલ રાખીને આવી વિચારણા કરવામાં આવે તો આવી ચર્ચાને અંતે જે કંઈ નિર્ણય લેવામાં આવે તેને ૩ ફેબ્રુઆરી ૧૯૬૦ : અમલી બનાવવામાં ઝાઝી મુશ્કેલી ન નડવી જોઈ એ. અને પાટાયેલી પરિસ્થિતિના પ્રકાશમાં, સમાજના દિનની કિએ કરથાને માટે કાર્યક્રમ નક્કી કરવા માટે, વધારે વ્યાપક રીતે સભામાં ચર્ચા-વિચારણા થાય, અને સંસ્થાના સભ્યો અને આગેવાનો ભેગા મળીને મુક્ત મને વિચારોની આપ-લે કરે એ અનેક રીતે લાભકારક છે. અને તેથી જ આવી સંસ્થાનું ખુલ્લું અધિવેશન વર્ષે કે છેવટે એએક વર્ષે પણ મળે, એ જરૂરી અને લાભકારક છે. કૉંગ્રેસ જેવી સંસ્થા પણ પોતાનાં જંગી અધિવેશનો સમયે સમયે નિયમિતપણે ભરે છે, તે આ દિએ જ, - આવાં અધિવેશનો જે રીતે લાભકારક બને છે એક તો એ સંસ્થાના જુદા જુદા પ્રદેશોમાં વસતા કાર્યકરો એક સ્થાને હોંગા મળીને એક બીન્તનો સંપર્ક સાધી શકે છે, અને પોતપોતાને પના અનુભવને આધારે સમાજના કલ્યાણ માટે હવે શું કરવાની જરૂર છે, એ સંબંધી તપ અને કામ વિચારવિનિમય કરીને ભાવિ કાર્યક્રમ નક્કી કરી શકે છે. અને બન્ને બ્રાભ આપ હૈ લોકસંપર્ક અને સંસ્થાના કાર્યક્રમનો જનસમુદાયમાં પ્રચાર કરવાનો. સંસ્થાને શક્તિશાળી બનાવવાની દૃષ્ટિએ, સંસ્થા મારફત સમાજની સેવા કરવાની દષ્ટિએ તેમ જ સમાજનું ધ્યાન સંસ્થા પ્રત્યે આકહેવાની દૃષ્ટિએ આવાં અધિવેશનો અમુક નિશ્ચિત સમયને અંતરે ભરાતાં રહે એ બહુ જ જરૂરી છે. તેથી સમાજે અને ખાસ કરીને તે સંસ્થાએ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખવો જોઈ એ. આ અધિવેશન સફળ થયું તો સારે જ લેખાય કે જ્યારે એ અધિવેશનમાં કૉરન્સને વધુ સંગીન અને શક્તિશાળી બનાવવાના તેમજ સખાતે મૂંઝવતા અનેક અવનવા અને અટપટા પ્રશ્નોના નિકાલના વહારુ માર્ગો આપણે શોધી શકીએ. અને આ કામ ત્યારે જ બને કે જ્યારે સંસ્થાના બધા નાનામોટા કાર્યકરો કૃતનિશ્ચય બનીને મક્કમતાપૂર્વક અત્યારથી કામે લાગે. આ રીતે સત્વર કામે લાગીને આ અધિકેશનને સંપૂર્ણ સફળ બનાવવાની લગની આપણામાં લાગે એ જ પ્રાર્થના. Βγ

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154