________________
ઇતિહાસની કેડી
હવે ગૂજરાતી રૂપાન્તર વિષેઃ સૌથી જુની કૃતિ ઘણું કરીને દેવશીલ (સં. ૧૬ ૧૯)ની છે. તે પછી વેતાલપચીશીની એક ગદ્યકતિ ઘણું કરીને સેળમાં શતકમાં જ રચાયેલી મળે છે. ૨૩ આ બેની વાર્તાઓની ઘટનામાં ઝાઝો ફેર નથી; એક જ મૂળને બન્ને અનુસરે છે. ૨૪આ કૃતિઓમાં જે બીજી વાર્તા બ્રાહ્મણકન્યા મન્દારવતીની છે તેની સાથે શામળકૃત સિંહાસનબત્રીશીમાંની અબોલારાણીની આડકથા અજબ સામ્ય ધરાવે છે. મન્દાવતીને ત્રણ વાર પરણવા આવે છે, પણ કન્યા મરી જતાં ત્રણેમાંથી એકે પરણી શકતો નથી; દૈવયોગે મન્નપ્રયોગ મળતાં મન્ચારવતી જીવતી થતાં તેને પરણવા ત્રણેને કજિયે જામે છે; વેતાલ વિક્રમરાજાને સાચે વર કોણ એમ પૂછે છે અને ઊડી જાય છે. શામળની કૃતિમાં વિક્રમરાજા અબલારાણીના હાર ઉપર બેસાડેલ વેતાલને આ પ્રશ્ન પૂછે છે, અબાલરાણીને મૌનવ્રત તોડવું પડે છે, વગેરે.
સમયના અભાવે બીજી વાર્તાઓ સંબંધી આવું અવલોકન થઈ શકયું નથી; પણ એક વાર્તાના અંશ બીજીમાં કેવી રીતે પ્રવેશે છે તેના માટે આ એક જ ઉદાહરણ બસ છે.
ઉપરાંત સં. ૧૬૪૬માં હીરકલશશિષ્ય હેમાણુદે પણ વેતાલ૨૨. પ્રકટકર્તા શ્રી જગજીવન દયાળજી મોદી. ૨૩. પ્રકટર્તા શ્રી જગજીવન દયાળ મેદી.
૨૪. સિંહાસનબત્રીશીમાં પણ આ વસ્તુ જ આપણને દેખાય છે. પૂર્વના જૈન કવિઓ ચાલતી આવેલી પરંપરામાંથી ઘણે ભાગે બહાર જ નીકળ્યા નથી, જેથી એક જ વિષયનાં બે કાવ્યો સાંગોપાંગ વાંચતાં સહેજ કંટાળો આવે છે, જ્યારે શામળે લોકોની રસવૃત્તિને વિચાર કરી પોતાની વાર્તાઓમાં જે નવીન લાગતાં તો દાખલ ક્યાં છે તેથી વિષય એક સમગ્ર વસ્તુ તરીકે પુરોગામીઓએ ચાવી નાખેલો હોવા છતાં હૃદયંગમ થઈ પડે છે. સાહિત્યમાં તે ચિરંજીવ રહ્યો આ જ વિશિષ્ટતા વડે.
૧૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org