________________
ઇતિહાસની કેડી તે સમયના વિદગ્ધ વર્ગમાં માધવાનની કથા બહુ લોકપ્રિય હશે એમ લાગે છે. કારણ સં. ૧૭૦૬માં રચાયેલ “રૂપસુન્દરકથા' નામે શૃંગારિક વાર્તાના મંગલાચરણમાં જ માધવ–કામકુંડલાનો માનભેર ઉલ્લેખ છે.
સ્વાગતા માધવાનલ વિષે રક્ત કામા, ધન્ય તે ચતુર સુન્દર રામા, વજદુ:ખ વહાણું પામ્યા, જીવતાં તે વલી ફરી સુખ પામ્યા.
(૧૩) ૧૦. ચંદનમલયાગિરિ: ચન્દનમલયાગિરિ પણ આપણી જુની શુદ્ધ સામાજિક વાર્તાઓમાંની એક છે. અદ્યપર્યત તે વિષયનાં જેટલાં કાવ્યો જણાયાં છે તે સર્વ જૈનોનાં જ છે. એ વાત પણ એમણે શીલમહિમારૂપે ઘટાવી છે.
મારવાડી–રાજસ્થાનમાં આ વાત ખૂબ પ્રસિદ્ધ છે; ગૂજરાતીમાં સૌથી જૂની કૃતિ તો સં. ૧૬ ૭પમાં રચાયેલ ભસેનની હાલ તે મળી આવે છે. એ પહેલાં પણ ગૂજરાતી સાહિત્યમાં આ વાર્તાનું અસ્તિત્વ હોવું જોઈએ એમ લાગે છે, કારણ, | કિહાં ચન્દન, કિહાં મલયાગિરિ, કિહાં સાયર, કિહાં નીર,
જિમ જિમ પડઈ અવOડી તિમ તિમ સહઇ શરીર. એ દૂહો ભદ્રસેનની કૃતિમાં છે, તે જ સહેજ પાઠાર સાથે સં. ઉપર ૬માં રચાયેલ કર્મણના સીતાહરણમાં છે; તે ઉપરથી આપણને સહજ ઉપર્યુક્ત અનુમાન કરવાનું મન થાય છે. ૩૩
૩૩. દી. બ. કેશવલાલ ધ્રુવ સંપાદિત “પ્રાચીન ગૂર્જરકાવ્ય,” ઉપઘાત.
૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org