Book Title: Itihas ni Kedi
Author(s): Bhogilal J Sandesara
Publisher: Padmaja Prakashan

View full book text
Previous | Next

Page 218
________________ નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય છે અને બન્નેનો કર્તા કદાચિત એક જ વ્યક્તિ હોય એ સંભવિત લાગે છે. આ બે કાવ્યોને કર્તા જે એક માનવામાં આવે તો પછી વસંતવિલાસ'નો લેખક જૈન હવા વિષેનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આને જ મળતું એક ત્રીજું કાવ્ય કોઈ અજ્ઞાત કવિરચિત અમૃતકોનાં ૫૮ નામનું છે. તેનો સમય પણ આશરે પંદરમા શતકના અંતમાં મૂકી શકાય. એ કાવ્યમાં પણ છટાદાર ભાષામાં કૃષ્ણની લીલાઓનું વર્ણન કરવામાં આવેલું છે. “મયણન્દ' પ૯ નામે બીજું એક સુન્દર છંદબદ્ધ કાવ્ય મળી આવે છે. તેમાં કવિએ રાધાકૃષ્ણનો ગાર ગાય છે. આ જ અરસામાં જ્ઞાનાચાર્ય નામના એક જૈન યતિએ પ્રસિદ્ધ બિલ્પણ કવિકૃત “બિલ્ડણપંચાશિકા” ૧૦ ને ચોપાઈમાં અનુવાદ કર્યો છે અને તે ઉપરથી સ્વકલ્પનાએ બિલ્હણની પ્રેયસી શશીકલાને વિલાપ વર્ણવતી “શશીકલાપંચાશિકા'ની ૬૧ રચના કરી છે. આ શશીલાપંચાશિકા'માં તો મસાંકળી પણ છે. બન્ને કાવ્યો ઉચ્ચ કેટિનાં છે. પાછળથી સત્તરમા સૈકામાં બીજા એક જૈન કવિ સારંગે પણ “બિલ્ડણપંચાશિકા'નો અનુવાદ કરેલો છે. બિલ્હણનું આ સંસ્કૃત કાવ્ય ગૂજરાતમાં સારી પેઠે પ્રચલિત હતું. ગુજરાતના જૂના સાહિત્યમાં શિક્ષક-શિષ્યાના પ્રેમની તથા સમસ્યાપ્રેષણની કથાની પરંપરાની જે અસર જણાય છે તે મુખ્યત્વે “બિલ્ડણકાવ્ય'ને આભારી છે. સં. ૧૭૦૬માં “રૂપસુંદર કથા”૬૨ નામે એક વૃત્તબદ્ધ વાર્તા રચાયેલી છે. તેમાં રૂપાં નામે રાજકુંવરીના પિતાના શિક્ષક ૫૮. હાથપ્રત વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં છે. ૫૯. હાથપ્રત વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરમાં છે. ૬૦. મુદ્રિત : “સાહિત્ય, ગસ્ટ ૧૯૩૨. ૬૧. મુદ્રિતઃ “ગુજરાતી ને દીપોત્સવી અંક, સં. ૧૮૮૪ ૬૨. મુદ્રિત: ફાર્બસ ગુજરાતી સભા તરફથી. ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300