Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૫૦
ધમ સંપ્રહ ગુરુ ભાવે સાહાર: ગા. ૨૨
પડ્યો હોય તે જઘન્યથી અંતમુહૂર્ત પછી અને ઉત્કૃષ્ટથી ઘણા લાંબા કાળે પણ યથાપ્રવૃત્તિ વગેરે કરણે કરીને જ દેશવિરતિ કે સર્વવિરતિને પામે. ઉપરાંત સિદ્ધાન્તના મતે સમક્તિને વિરાધક કોઈ લાપશમિક સમકિત સહિત પણ નીચે છઠ્ઠી નારકી સુધી ઉપજે. (એમ પ્રવચન સારે દ્વારની હ૧ ગાથાની ટીકામાં જણાવ્યું છે.)
કર્મગ્રન્થના મતે તે સમકિત સહિત મરે તે મનુષ્ય કે તિર્યંચ વિમાનિક દેવ જ થાય માટે પ્રવચન સારોદ્ધારની ટીકા માં “દિન' શબ્દથી “પ્રગટેલા સમકિત સાથે” એમ કહ્યું છે. વળી કર્મગ્રન્યકારના મતે સમકિત પામીને પડે તે પુનઃ મિથ્યાત્વના ઊદયે સાતેય કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બાંધી શકે (ઉત્કૃષ્ટ રસ બાંધે નહિ). સિદ્ધાન્તના મતે તે જેણે ગ્રન્થીને લેદી તે જીવ સંસારમાં રખડે, મિથ્યાદષ્ટિ થાય તો પણ સાત કર્મોની ભિન્નકડાકેડ સાગરેપમથી અધિક સ્થિતિ ન જ બાંધે. આ બંને મત યુક્તિસંગત છે, માટે મતાન્તર સમજ. અહીં સુધી પથમિક સમકિતનું સ્વરૂપ પ્રસંગનુસાર વિશેષ હકિકત પૂર્વક જણાવ્યું. - ૨. ક્ષાયિક – મિથ્યાત્વના ત્રણે પુંજે અને અનંતાનુબંધી ચાર કષાય, એ સાતેયને સત્તામાંથી પણ ક્ષય થતાં ક્ષાયિક સમકિત પ્રગટે છે. આ સમકિત પ્રગટ્યા પછી જાય જ નહિ, માટે તેને કાળ સાદિ અનંત છે. (ધસંગ્રહણી ગાળ ૮૦૧)
૩. ક્ષાયોપથમિક- પૂર્વે જણાવ્યા પ્રમાણે ઉદયમાં આવેલા (સમકિતના પંજરૂપ) પ્રદેશ મિથ્યાત્વને ક્ષય અને અનુદિતનો ઉપશમ, એમ ક્ષય સહિત ઉપશમ એટલે પશમ, તેના દ્વારા પ્રગટે તે લાપશમિક જાણવું. (વિશેષાવશ્યક ગા. ૫૩૨). અહીં ઉપશમના એક ઊદયને રે અને બીજો રસનો ઉપશમ કરે, એમ બે અર્થ સમજવા. તેમાં મિથ્યાત્વ અને મિશ્ર બને પુજેને ઊદયથી જ અટકાવવા, અને ભગવાતા સમકિત પુજના રસને ઉપશમ કરે, એમ ત્રણેને ઉપશમ અને તેની સાથે શુદ્ધ સમકિત પુજના પ્રદેશને ભોગવવાથી ક્ષય, એમ ક્ષય અને ઉપશમ સહિત, વર્તમાનમાં વેદાતા શુદ્ધ સમકિત મોહનીય રૂપ પ્રદેશના ઉદયવાળું તે ક્ષાયોપથમિક સમકિત જાણ્યું. તેને સત્તામાં રહેલા રસરહિત મિથ્યાત્વને (શુદ્ધપુંજન) અને અનંતાનુબંધીના પ્રદેશને ભગવટે ચાલુ હેવાથી સત્કમવેદક પણ કહે છે. ઓપશમિકમાં મિથ્યાત્વને પ્રદેશદય પણ ન હોય અને લાયે પશમિકમાં પ્રદેશદય હેય, એમ બેમાં જે સમજ.
૪. વેદક- ક્ષપકશ્રેણીને (સાયિક સમકિતને) પામતાં છવને અનંતાનુબંધી ચાર કક્ષાએ, મિથ્યાત્વ મેહનીય અને મિશ્રમેહનીચ એ છે પ્રકૃતિઓને સત્તા માંથી સંપૂર્ણ ક્ષય કર્યા પછી સમકિત મેહનીયને ખપાવતાં છેલ્લે સમયે તેને છેલ્લે ગ્રાસ વેદે ત્યારે (જે કે સમતિ મોહનીચના ઉદયરૂપે તે લાપશમિકને જ અંતિમ અનુભવ છે, તથાપિ ત્યાં) અંતિમ ગ્રાસનું વેદન હોવાથી તેને વેઠક સમકિત કહ્યું છે. તે છેલે ગ્રાસ ખપી જતાં અનંતર સમયે દર્શનસપ્તકને સર્વથા ક્ષયરૂપ સાચિક સમકિત પ્રગટે.