Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 297
________________ ર૭ર ધર્મસંગ્રહ ગુઢ ભાવે સારોદ્વાર ગાથા ૬૬ છે. એવું શ્રી જિનેશ્વરદ્વારા બેલાયેલું જિનવચન કે જેને પંડિતે એ નમસ્કાર કર્યો છે તેને દિવસના પ્રારંભમાં (પ્રાતઃકાળમાં) હું નમું છું. હવે એક સીત્તેર જિનની સ્તુતિ કરે છે કે “વન--વિદ્યુમ-મરત-ઇનનિમ તિમો सप्ततिशत जिनानां, समिरपूजित वदे ॥१॥" અર્થ- શ્રેષ્ઠ સુવર્ણ (પીળો વર્ણ), શંખ (સફેદ વણ), વિઠ્ઠમ (પરવાળાં-રાતે વણ), મરકત (નીલમ-લીલે વર્ણ), અને ઘન (કાળો મેઘ), એ પાંચેના વર્ણવાળા, સર્વ દેવેથી પૂજાયેલા (પંચવણી) એકસે સીત્તોર જિનેશ્વરેને હું વાંદુ છું. અહીં પ્રતિક્રમણને અધિકાર પૂર્ણ થયે હવે મૂળ ગાથામાં કહેલી ગુરુની વિશ્રામણ માટે કહે છે કે- પ્રતિક્રમણ પછી અવશ્ય ગુરુની વિશ્રામણ કરવી જોઈએ. એમાં ગુરુ એટલે ધર્માચાર્ય અને તેમની વિશ્રામણ એટલે શ્રમ દૂર કરવા કે ભક્તિભાવથી તેમના અંગ-પગશરીર વગેરે દબાવવું, તથા તેના ઉપલક્ષણથી સુખશાતા પૂછવી, તેમનું સંયમ અંગેનું કઈ કામ કરવું, વગેરે સ્વયં સમજવું. જો કે સાધુને ઉત્સર્ગ માગે શરીર સેવા કરાવાય નહિ, દશવૈકાલિકમાં “સંબાહણા દંત પહેચણા ય” એ પાઠથી નિષેધ કર્યો છે, તે પણ અપવાદથી જરૂર જણાય તે સાધુએ દ્વારા અને તેના અભાવે ભક્તિવંત શ્રદ્ધાળુ શ્રાવકદ્વારા પણ સેવા કરાવી શકાય તથા શ્રમ દૂર કરવા-કરાવે વગેરે પણ કરી શકાય છે. શુદ્ધ પરિણામથી સેવા કરનારને પણ કર્મોની નિર્જરા અને વિનય થાય છે. ગુરુ વિશ્રામણું પછી સ્વીકારેલાં વતનું, તેના પાલન કરવાના વિધિનું, વગેરે સ્મરણ કરવું. મહામંત્રનો જાપ કરે. વોચના–પૃચ્છનાદિ પાંચ પ્રકાર પૈકી કોઈપણ સ્વાધ્યાય કરે, વળી પિતે રાજા, મંત્રી કે કઈ મહા વ્યવસાયી સંપત્તિમાન હોવાથી ઉપાશ્રયે ન જઈ શકે તે પિતાના સ્થાને પણ પ્રતિક્રમણ, સ્વાધ્યાય વગેરે કરે. કારણ સ્વાધ્યાયનું મોટું ફળ જણાવતાં દશ વૈ૦ નિર્યુકિતમાં કહ્યું છે કે વિતરાગકથિત બાર પ્રકારના તપમાં એ કઈ બીજે તપ નથી કે જે સ્વાધ્યાયની તુલના કરી શકે. ઉપદેશમાલા ગા૦ ૩૩૮ માં પણ કહ્યું છે કે સ્વાધ્યાયથી શુભ ધ્યાન, સત્ય તનું પારમાર્થિક જ્ઞાન અને ક્ષણ ક્ષણ વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. એમ શ્રાવકનું દિનકૃત્ય જણાવ્યું હવે રાત્રીકૃત્ય કહે છે કે मुल “गत्वा गृहेऽथ कालेऽहद्गुरूस्मृतिपुरस्सरम् । ___ अल्पनिद्रोपासन' च, प्रायेणाऽब्रह्मवर्जनम् ॥६६॥" અર્થ - પછી ઘરે જઈને નિદ્રાકાળે અરિહંત દેવ અને ગુરુના (તથા મહામંત્રના) સ્મરણ પૂર્વક અલ્પનિદ્રા કરે અને પ્રાયઃ મિથુન તજે. તાત્પર્ય કે ગુરુના ઉપાશ્રયે સ્વાધ્યાય કરીને ઘેર જઈને રાત્રીના પ્રથમ પ્રહર પછી અથવા શરીર-સ્વસ્થતા સારી હોય તે મધ્યરાત્રી પછી નિદ્રા કરે, તે પહેલાં પરિવારને ધર્મ સંભળાવે, એમ શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે.

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330