Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust

View full book text
Previous | Next

Page 325
________________ ૩૦૦ ધર્મસંહ ભાવ સારોદ્ધાર ગાથા ૭૦ રાખે. શરીર શોભા વિલેપન વગેર ન કરે. ઈતિ સામાન્ય બ્રાહ્મચારી ગૃહસ્થ કરતાં પ્રતિમાપારીની વિશેષતા જાણવી. નવમી પ્રતિમામાં કુટુમ્બને કે વ્યાપાર વગેરનો ભાર એગ્ય પુત્ર, પત્ની, કે નેકરા દિને સેંપી દે, નવવિધ પરિગ્રહમાંથી મમત્વને ઘટાડી દે, સર્વત્ર પરિણત બુદ્ધિવાળો હય, મુક્તિની અભિલાષા દઢ કરે. દશમી પ્રતિમાધારી મસ્તક મુંડાવે અથવા ચોટલી રાખે. ભૂમિ વગેરેમાં દાટેલું, કેઈના ત્યાં વ્યાજે કે થાપણુરૂપે મૂકેલું, અથવા કઈ રીતે કુટુંબથી ગુપ્ત રાખેલું એવું ધન, ધાન્ય, લેણું, દેવું વગેરે અંગે કુટુંબી વગેરે કઈ પુછે તે જે જાણતે હેય તે કહે, ન જાણતે હેય તે નિષેધ કરે, કોઈ વિશેષ પ્રેરણા ન કરે, સાધુઓની સેવામાં સદા તત્પર રહે અને સમનિપુણ બુદ્ધિથી સમજી શકાય તેવા જીવાજીવાદિ ત કે નિગોદાદિ ભાવેને જાણવા સદાય ઈચ્છા કરે. અગીયારમીમાં પૂર્વની દશે પ્રતિમાના પાલનપૂર્વક ગૃહસ્થાશ્રમના સઘળા સંબંધે છોડીને સાધુવેષ પહેરે તથા કાષ્ટનાં પાત્રે રાખે, મસ્તકે લેચ કરે અને આહાર લેવા જાય ત્યાં તેના ગયા પહેલાં જે તૈયાર થયેલું હોય તે જ લઈ શકે, ગયા પછી તૈયાર થયેલી વસ્તુ લેવી ન કલ્પે. આવશ્યક ચૂર્ણિમાં આ વિષયમાં થોડો મતાંતર છે. રાત્રીજનવર્જનને પાંચમી, સચિરત્યાગને છઠ્ઠી, દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય અને રાત્રીએ મિથુનનું પ્રમાણ કરે તે સાતમી તથા અહોરાત્રી પુર્ણ બ્રહ્મચર્ય પાળવું, સ્નાનને ત્યાગ, મસ્તકે દાઢી-મૂછના કેશ, શરીરની મરાજી કે નખ વગેરેને સંસ્કાર નહિ કરે -ળવા -પાવવા નહિ તે આઠમી અને સ્વયં આરંભનો ત્યાગ કરે તે નવમી. બીજા દ્વારા આહારાદિ નિમિત્તે પણ આરંભ કરાવવાનો ત્યાગ કરવો તે દશમી તથા ઉદ્દિવર્જન અને શ્રમણભૂત બે મળી અગીયારમી પ્રતિમા કહી છે. હવે અન્યને ઉપસંહાર કરતાં કહ્યું છે કેમૂમ-પા શિ, જિ વિશેષતઃ | તાજા, પાલિકt I૭૦” અથ– એ રીતે શ્રી જિનેશ્વરાએ ગૃહસ્થને વિશેષ ધર્મ કહ્યા છે, તે ચારિત્રરૂપી પર્વત ઉપર ચઢવાના પગથીયાં તુલ્ય હેવાથી પુરુષોએ આચરવા ગ્ય છે.

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330