Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
૧૨૦
ધમ સંગ્રહ ગુ૦ ભા૦ સારોદ્ધાર ગા. ૪૬
૧. પરવિવાહ કરણું – પિતાના પુત્રાદિને કન્યા મેળવવાના કે કન્યાદાનનું પુણ્ય મેળવવાના આશયથી કે સ્નેહી- સંબંધપણાથી બીજાના સંતાનોના વિવાહ-લગ્ન કરવાં તે અતિચાર. પણ તેમાં જેણે પોતાની પરણેત સ્ત્રી અથવા વેશ્યા સિવાયની અન્ય સ્ત્રી સાથે મિથુન સેવવા–સેવરાવવાને ત્યાગ કર્યો હોય તેને તે પરવિવાહથી વ્રતભંગ થાય, છતાં એમ સમજે કે હું “માત્ર વિવાહ કરું છું તે અતિચાર ગણાય. વ્રત લીધા પછી પરવિવાહ દ્વારા પુણ્ય બંધ કે કન્યા મેળવવાની આવી ઈરછા સમકિતી છતાં અજ્ઞાનીને, કે મિથ્યાત્વી છતાં ભદ્રપરિણામીને થાય. અહીં પરવિવાહને અતિચાર કહ્યો, તેમાં એ કારણ છે કે ગૃહસ્થ પિતા નાં સંતાનોના વિવાહ ન કરે તો તે સ્વરછંદી, વ્યભિચારી, થઈ જવાથી પિતે ઉચ્ચરેલા વ્રતની અને ધર્મની પણ લેકમાં હાંસી – હલકાઈ થાય, માટે પિતાના સંતાનના વિવાહ ગૃહસ્થને અનિવાર્ય છે, હા, બીજા એ ચિંતા કરનારા હોય તો કૃષ્ણજી કે ચેડા મહારાજની જેમ પિતે ત્યાગ કરી શકે. બીજા આચાર્યોના મતે તે પર એટલે બીજે. અર્થાત્ એકપત્ની છતાં વાસનાની અતૃપ્તિને કારણે બીજી સ્ત્રી પરણે, તે સ્વદારા – સંતોષવ્રતવાળાને આ અતિચાર લાગે.
૨. અનારગમન અતિચાર-તેમાં અનાજ્ઞા એટલે વેશ્યા, કુટા જેને પતિ પરદેશ ગયે હય, કુલવતી પણ વિધવા કે કુંવારી એ માલિક વિનાની ગણાય, તેને ભોગવવાથી અતિચાર તથા
૩. ઇત્વરીગમન- એટલે અમુક કાળમાટે પગારથી રખાત કરી હોય તેને ભેળવવાથી અતિચાર. આ બીજે ત્રીજો અતિચાર સ્વદારા સંતોષીને ઘટે, પરસ્ત્રી ત્યાગીને ન ઘટે. તેમાં પણ માલિક વિનાની (અનાત્તા) સ્ત્રીને અજાણપણે કે સહસા ભોગવે, કે ઈચ્છારૂપ અતિક્રમાદિ સેવે ત્યારે અતિચાર અન્યથા વ્રતભંગ થાય. અને રખાત માટે પગારથી મેં રાખેલી માટે પરસ્ટી ન ગણાય. એમ સમજી ભગવે ત્યારે અતિચાર જાણ. તે સિવાયના પહેલે, ચોથે અને પાંચમ ત્રણે અતિચાર સ્વદારા સંતોષી તથા પરસ્ત્રી ત્યાગી બનેને લાગે, એમ આગમ વગેરેને મત છે. અન્ય આચાર્યોના મતે તે સમજણપૂર્વક પણ રખાતને ભેગવવાથી સ્વદારાસંતોષીને અને માલિક વિનાની સ્ત્રીને ભેગવવાથી પરદાર ત્યાગીને અતિચાર લાગે. તેમાં એ હેતુ છે કે સ્વદારાસંતોષી રખાતને પિતાની સમજી ભગવે છતાં તત્વથી તે પિતાની નથી માટે ભંગાભંગરૂપ અતિચાર લાગે અને વિધવા, પ્રોષિત ભર્તૃકા તથા જીવતાપણુ પતિને તજી દેનારી, વગેરે વર્તમાનમાં પતિ વિનાનું, છતાં તે પર સ્ત્રીઓ પણ છે જ, માટે તેને ભેગવવાથી ભંગાભંગરૂપ અતિચાર ગણા 10% 1 : ૪ 5..
: ૪ અનંક્રીડા અતિચાર તેણુ, અનંગ- એટલે કામું અથવા ઈચ્છા. સ્ત્રી પુરુષ અને નપુસક, સાણેને ત્રણેયના ભેગની અનુચિત ઈરછા તે અનંગ અને તેની ચેષ્ટા-પ્રવૃત્તિ તે અનંગક્રિડા. તથા હસ્તકર્મ વગેરે કુચેષ્ટા, કે પોતાની સ્ત્રી વગેરે ભેગની સામગ્રી છતાં