Book Title: Dharm Sangraha Bhashantar Saroddhar Part 01
Author(s): Bhadrankarsuri
Publisher: Subaji Ravchand Jechand Jain Vidyashala Trust
View full book text
________________
પ્ર૦ ૪. દિનચર્યા – ત્રિકનું વર્ણન
૧૫૯
પૂજા કરતાં સામાયિકનું મહત્વ ઘણું છે, તેા પણ તે સ્વાસ્ક્રીન હોવાથો અન્ય સમયે પણ શકય છે, પૂજાદિ કાર્યો સમુદાય સાથે થઈ શકે, માટે તે સર્વની સાથે કરવાં ઉચિત છે. વળી –
ભાવસ્તવની જેમ દ્રવ્યસ્તવનું પણ ફળ વિશિષ્ટ કહ્યું છે. પદ્મચરિત્રમાં કહ્યું છે કે જિનમંદિરે જવાની ઇચ્છા થતાં એક ઉપાવાસનું, ઉભા થતાં એનું, પગ ઉપાડતાં ત્રણતુ, ચાલવા માંડતાં ચારનું, ઘેાડુ' ચાલતાં પાંચનું, માર્ગે ચાલતાં પંદર ઉપવાસનું', મંદિરનું દર્શન થતાં ત્રીશ ઉપવાસનું, પ્રદક્ષિણા દેતાં સેા વર્ષના ઉપવાસનું, પૂજા કરતાં હજારવના ઉપવાસનું અને સ્તુતિ કરવાથી અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. ખીજે પણ કહ્યુ` છે કે જિનપ્રતિમાની પ્રમાનાથી એકસા વષઁના, વિલેપનથી હજાર વર્ષના અને માળા ચઢાવતાં એક લાખ વર્ષના તપ–ફળને પામે છે, અને ગીત વાજિંત્ર સહિત ભક્તિ કરતાં અનંત ફળ મળે છે. એમાં પણ ઉચિત સમયે પૂજા-ભક્તિ કરતાં વિશિષ્ટ લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે જિનેશ્વરની વિધિપૂર્વક વિશિષ્ટ પૂજા કરવાથી સામાન્ય જીવાને આધિલાભ અને સમકિતીને પૂજા પ્રત્યે સવિશેષ પ્રીતિ થાય છે, ઉપરાંત જિનાજ્ઞાનુ' પાલન, જિનભકિત અને શાસન પ્રભાવના થાય છે. માટે પૂજાના સમયે પૂજા કરવી તે શ્રેષ્ઠ છે.
હવે ચાલુ ૬૧મી ગાથામાં વિધિથી જિનપૂજા કરવાનુ' કહેવુ છે, તે વિધિ દશત્રિક વગેરે ચાવીશ દ્વારાથી વિસ્તારથી કહેવાય છે. તેમાં ત્રિક એટલે ૧ – ત્રણ સ્થાને નિસીહિ, ૨- ત્રણ પ્રદક્ષિણા, ૩- ત્રણ પ્રણામ, ૪- ત્રણ પ્રકારે પૂજા, ૫- જિનેશ્વરની ત્રણ અવસ્થાએ ચિતવવી, ૬ – જમણી – ડાબી તથા પાછળ એ ત્રણ બાજુ છેાડીને પ્રભુની સન્મુખ જ દૃષ્ટિ રાખવી. ૭– ત્રણવાર ભૂમિ તથા પગને પ્રમાવા. ૮- વર્ણાદિ ત્રણનુ આલંબન, ૯- ત્રણ મુદ્રા કરવી અને ૧૦– ત્રણ પ્રકારે પણિધાન કરવુ.
તેમાં પહેલી, બીજી, ત્રીજી, છઠ્ઠી અને સાતમી એ પાંચ ત્રિકોનુ' સ્વરૂપ સ્પષ્ટ છે. વિવિધ પૂજાનુ' સ્વરૂપ કહે છે. કે- પુષ્પા વગેરેથી અંગપૂજા, નૈવેદ્ય વગેરેથી અગ્રપૂજા અને સ્તુતિ – સ્તવનાદિથી ભાવપૂજા, એમ પૂજા ત્રણ પ્રકારે જાણવી. પૂજા કરતાં જિનેશ્વરની છદ્મસ્થતા, કૈવલીપણું અને સિદ્ધપણું વિચારવું, એ ત્રણુ અવસ્થાએ જાણવી. ચૈત્યવંદનના સૂત્રના પાઠ, તેના અર્થો અને તેની સાથે પ્રતિમાના સ્વરૂપનુ' ઘટન કરવુ' તે વર્ણાદિ ત્રણનું આલેખન કહેવાય. અને પૂજામાં મન-વચન-કાયાની એકાગ્રતા કરવી તે ત્રણને પ્રણિધાન કહેવાય. પ્રણામ તે પંચાંગ મુદ્રાથી થાય છે. સ્તવન ખેલતાં ચેાગમુદ્રા, વંદન કરતાં જિનમુદ્રા અને જચવીયરાય વગેરે પ્રણિધાન સૂત્રો ખેાલતાં મુક્તામુક્તિમુદ્રા એમ ત્રણ મુદ્રા કરવી. તેમાં એ ઢીંચણુ, એ હાથ અને મસ્તક, એ પાંચ અંગેા જમીનને સ્પર્શે તેમ નમવાથી પચાંગી મુદ્રા થાય, વન્દન પચાશકમાં આને ત્રણથી જુદી પચાંગી મુદ્રા કહી છે અને તે ‘નમાત્થણુ’ સૂત્રના પ્રારંભમાં અને અંતે કરાય છે. યાગમુદ્રામાં બે હાથની દશ આંગળીઓને સામસામી