________________
દેશનાચિંતામણિ ]
विषयामिषसंलुब्धा, मन्यन्ते शाश्वतं जगत् ।
आयुर्जलधिकल्लोल-लोलमालोकयन्ति न ॥१॥
સ્પષ્ટાર્થ-વિષય રૂપી માંસમાં લુબ્ધ થયેલા પ્રાણુઓ આ જગતને શાશ્વત–વિનાશ ન પામે તેવું માને છે. પરંતુ સમુદ્રના કલોલ જેવા ચપળ આયુષ્યને જોતા કે જાણતા નથી.” - ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને રાજાએ કેવળીને પૂછયું કે “હે સ્વામી! મારું આયુષ્ય કેટલું બાકી છે?” કેવળીએ જવાબ આપ્યો કે “હે રાજા ! તારું આયુષ્ય માત્ર નવા પ્રહરનું જ બાકી છે. તે સાંભળીને મરણથી ભય પામેલા તે રાજાનું અંગ કંપવા લાગ્યું. ત્યારે મુનીશ્વર બેલ્યા કે “હે રાજા! જે તું મૃત્યુની ચિંતાથી ભય પામતે હે તે તું પ્રત્રજ્યા અંગીકાર કર. કેમકે–
अंतोमुत्तमित्तं, विहिणा विहिया करेइ पव्वज्जा।
दुक्खाणं पज्जतं, चिरकालकयाइ किं भणिमो ॥१॥ સ્પષ્ટાર્થ_એક અત્તમુહૂર્ત માત્ર પણ જે વિધિપૂર્વક ગ્રહણ કરેલી પ્રવજ્યા સારી રીતે પાળી હોય તે તે સર્વ દુઃખેને અંત (નાશ) કરે છે, તે પછી ચિરકાળ દીક્ષાનું પાલન કર્યું હોય તે તેને માટે તે શું કહેવું?” અર્થાત તેનું ફળ તે સર્વ દુઃખને નાશ કરનાર થાય જ એમાં આશ્ચર્ય નથી.
આ પ્રમાણે જ્ઞાનીનું વચન સાંભળીને રાજાએ સ્ત્રી તથા મિત્રો સહિત તરતજ દીક્ષા ગ્રહણ કરી. પછી તે રાજર્ષિ “એહં નલ્થિ મે કઈ” “હું એકલેજ છું, મારૂં કઈ નથી ઈત્યાદિક શુભ ધ્યાન ધ્યાતાં મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ એક્ષપદ પામશે. તેના મિત્રો તથા અનંગલેખા વિગેરે પણ દેવગતિ પામીને અનુક્રમે મોક્ષસુખ પામશે.
નિર્વેદ” શબ્દનો અર્થ “સંસાર પર વિરાગતા” એ થાય છે, તે નિવેદરૂપ ભાવસિંહને આશ્રય કરનાર હરિવહન રાજા શીધ્ર સર્વાર્થસિદ્ધ વિમાનને પામ્યા. તેવી રીતે બીજા ભવ્ય એ પણ નિર્વેદ ગુણને જરૂર ધારણ કરે. હવે અનુકંપા નામના ચેથા લક્ષણની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી –
दीनदुःस्थितदारिद्र-प्राप्तानां प्राणिनां सदा।
दुःखनिवारणे वांछा, सानुकंपाभिधीयते ॥१॥
સ્પષ્ટાર્થ–“દીન, દુખી અને દારિદ્રશ્યને પામેલા પ્રાણીઓનાં દુઃખનું નિવારણ કરવાની નિરંતર જે વાંછા (ઈચછા) કરવી તે અનુકંપા કહેવાય છે.”
कार्या मोक्षफले दाने, पात्रापात्रविचारणा । दयादानं तु सर्वहन क्वापि प्रतिषिच्यते ॥२॥
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org