________________
૧૭૪
[ શ્રીવિજયપઘસૂરિકૃતરાજાની પાસે મોકલ્યા. આ બીન જાણી રાજા ઘણે જ ખુશી થયો. પછી રાજાએ ગંગાના કાંઠે ઊગેલા ઝાડની એંટી બંને બાજુ બરાબર પાલીસ કરાવીને તેનું મૂળ અને અગ્રભાગ (ચ) જાણવા માટે ગુરુની પાસે મોકલી. ત્યારે તેને પાણીમાં નાંખતાં મૂળ અને ભાગ) વજનદાર હેવાથી પાણીમાં ડૂબી ગયું, એમ મૂલ અને ટેચને ભાગ લેધી કાઢી તે સેટીને રાજાની પાસે પાછી મોકલાવી. ત્રીજી વાર પણ રાજાએ જેના સાંધા જાણવામાં ન આવે તેવી એક ટાબલી ગુરુની પાસે મોકલાવી, ત્યારે ગુરુએ તેને ગરમ પાણીમાં નાંખી ઉઘાડીને રાજાને આશ્ચર્ય પમાડયું. પછી સૂરિમહારાજે તંતુઓથી ગુંથેલું ગેળ તુંબડું રાજસભામાં મોકલ્યું. ત્યાં કોઈ તેને ઉકેલી શકયું નહી, તેથી મૂકી દેવામાં આવ્યું. આ પ્રસંગે બીજા લેકેએ કહ્યું કે-આ કામ ગુરૂથી જ બની શકે તેમ છે. એટલે રાજાએ બેલાવતાં તેમણે આવીને તે તરત ઉકેલી આપ્યું. આ ઉપરથી રાજાને ખાત્રી થઈ કે ગુરૂજી બાળક છતાં, સિંહના બાળની જેવા મહાપરાક્રમી છે.
એક વખત રાજાને માથામાં વેદના થવા લાગી. આથી મંત્રીની મારફત ગુરુને વિનંતિ કરાવતાં સૂરિજી મહારાજે ત્રણ વાર પિતાના ઢીંચણની ઉપર તર્જની (અંગુઠાની પાસેની) આંગળી ફેરવીને રાજાની વેદના શાંત કરી. આ બાબત કહ્યું પણ છે કે –
जह जह पएसिणी जाणुयंमि पालित्तओ भमाडेइ।
तह तह से सिरवियणा पणस्सइ मुंडरायस्स ॥१॥ મંત્ર રૂપ આ ગાથા બેલતાં જેના મસ્તકને અડકવામાં આવે, તેની શિવેદના જરૂર શાંત થઈ જાય. તે પીડા આકરી હોય તે પણ તેમ કરવાથી નાશ પામે.
એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું મન સૂરિની પ્રત્યે આકર્ષાયું અને બાલ સૂરિને વંદન કરવાની તેની ઈચ્છા થઈ. પછી તે તરત ગુરુ મહારાજના ઉપાશ્રયે આવ્યો. રાજાએ ગુરુને પૂછયું કે–હે ભગવન! અમારા સેવકે તે પગારના પ્રમાણમાં પિતાનું કામ બજાવે, પણ તેવા પગાર વિના કેવલ ભિક્ષાવૃત્તિના આધારે રહેલા આ શિષ્યો આપની આજ્ઞા બજાવવાને શી રીતે તત્પર રહે છે? ત્યારે ગુરુએ કહ્યું કે-હે રાજન! ઉભય લેકના હિતની ચાહનાથી આ શિષ્યો અમારા કાર્યો ઉત્સાહથી બજાવવાને સાવધાન રહે છે. છતાં રાજાને ખાત્રી ન થતાં ગુરુએ કહ્યું કે–તમે તમારા વિનીત સેવકને બોલાવી અમુક કામ કરવાનું કહે કે જેથી તમને ખાત્રી થાય. એટલે રોજાએ વિનીત વિશ્વાસી પ્રધાનને કહ્યું કે–તપાસ કરે કે ગંગા નદી કઈ દિશા તરફ વહે છે? રાજાને હુકમ સાંભળીને મંત્રીએ નજીવા કામની વિશેષ તપાસ ન કરતાં માત્ર રાજાનું માન સાચવવા કેટલેક ટાઈમ જુગાર રમીને રાજાને કહ્યું કે “ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે.” છુપા બાતમીદારોએ જુગાર આદિને વૃત્તાંત રાજાને જણાવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org