________________
મહાચમત્કારિપ્રભુ શ્રીમાણિક્યદેવ) માને પૂજે છે. કેટલાક કાલ વીત્યા બાદ રાવણે સતી શિરોમણિ સીતાને શીલથી ચલાયમાન કરવાને ઘણું જ પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ નીવડે. આ પ્રસંગે નિર્મલ સમ્યગ્દર્શનને ધારણ કરનારી રાણે મંદોદરીએ સ્પષ્ટ જણાવ્યું કે રાજન ! પરસ્ત્રીની અભિલાષા પણ કરનાર નીચ આત્માને સાત વાર સાતમી નરકનાં દુઃખો ભેગવવાં પડે છે. “વિનાર છે વિપરીત ” આ ન્યાયને સમજીને જે નિર્દોષ આબાદીને ચાહતા હો તે સતી સીતાને અહીં રાખવામાં લગાર પણ લાભ નથી. તમારા જેવા સમજુ રાજાએ વગર વિચાર્યું કામ નજ કરવું જોઈએ. પરસ્ત્રીને મા બેન સમાન ગણવી જોઈએ. રાણીના આ હિતકારી વચને રાજા રાવણને રૂચ્યાં નહી. વ્યાજબી જ છે કે ઘણે તાવ આવે ત્યારે ખાવાની રૂચિ થાય જ નહી.
આ અવસરે શ્રી માણિકદેવ પ્રતિમાના અધિષ્ઠાયક દેવે મંદોદરીને કહ્યું કે થોડા જ સમયમાં લક્ષ્મણના હાથે રાવણનું મરણ અને લંકાને નાશ થશે.” એ દેવવચન સાંભળીને રાણીએ આ પ્રતિમાને લવણ સમુદ્રમાં પધરાવી. ત્યાં દેવે તે બિંબની પૂજા કરતા હતા. દેવવચન ખાટું ન હોય. અનુકમે તે પ્રમાણે રાવણ મરીને નરકમાં ઉપજ, લંકાને નાશ થયો.
આ અવસરે કર્ણાટક દેશના કલ્યાણ નામના નગરમાં જિનેશ્વર ભગવંતની ઉપર પરમ ભક્તિભાવ રાખનારે શંકર નામને રાજા રાજ્ય કરે છે. તે નગરમાં કાધિષ્ઠ એવા કઈ પણ મિથ્યાદષ્ટિ વ્યંતરદેવે મરકીને ઉપદ્રવ પ્રકટાવ્યું. તે જોઈને રાજા ગભરાયે. આ તેની દુઃખમય સ્થિતિ જોઈને પદ્માવતી દેવીએ રાજાને રાતે સ્વમમાં જણાવ્યું કે, “આ લવણ સમુદ્રમાં મહાપ્રભાવક શ્રી માણિકય પ્રભુ (કષભદેવ)ની પ્રતિમા અમુક સ્થળે રહી છે. તે પ્રતિમાને અહીં મંગાવી જે તું પૂજાદિ ભકિત કરીશ, તે જરૂર આ ઉપદ્રવ શાંત થશે.” દેવવાણી સાચી જ હેય એમ નિર્ણય કરી રાજા સમુદ્રને કાંઠે જઈ અધિષ્ઠાયક દેવને આરાધવા માટે ઉપવાસ કરે છે. આથી સુસ્થિત નામને દેવ પ્રકટ થઈ રાજાને કહે છે કે આ સમુદ્રમાંથી તારે જોઈએ એટલાં રને ખુશીથી ગ્રહણ કરજે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ઉત્તરમાં રાજાએ નમ્રતાથી કહ્યું કે ““મારે રત્નોની જરૂરી યાત નથી. પણ મંદોદરીએ સમુદ્રમાં માણિકય પ્રભુની પ્રતિમા પધરાવી છે, એમ પદ્માવતી દેવીના કહેવાથી મને ખબર પડી છે. જો તમે મારા વા.” આ વચન પ્રમાણે મારી ઉપર પ્રસન્ન થયા છે તે મારે તે પ્રતિમા જ જોઈયે છે. તે મને આપે.” રાજાના આ વચન સાંભળીને દેવે સમુદ્રમાંથી તે પ્રતિમા બહાર કાઢી રાજાને સોંપી અને કહ્યું કે, “આ પ્રતિમાના પ્રભાવથી તારી પ્રજા ની રેગી ને સુખી થશે. પ્રતિમાને લઈ જતાં રસ્તામાં
પ્રતિમા આવે છે કે નહી” એવા સંશયથી તારે પાછળ જોવું નહીં. જે તેમ કરીશ તે જ્યાં પાછળ જોઈશ, તેજ સ્થળે પ્રતિમા સ્થિર થશે. આગળ નહિ ચાલે.” આવું દેવનું વચન અંગીકાર કરી સૈન્ય સહિત રાજા પિતાના નગર તરફ ચાલવાની શરૂઆત કરે છે. પાછળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org