________________
(અખાત્રીજને મહિમા )
અક્ષય તૃતીયા. લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી અનાદિ કાલીન જૈનદર્શનમાં ગણાવેલા સર્વમાન્ય પર્વોમાં અક્ષય તૃતીયા (ઈશ્ન તૃતીયા-અખાત્રીજ) પણ એક પર્વ ગણેલું છે. આ દિવસને પર્વ દિન તરીકે ક્યા હેતુથી માનવામાં આવે છે? આ પ્રશ્ન) ને ખુલાસે ટુંકમાં આ પ્રમાણે જાણ–યુગાદિ પ્રભુ શ્રી ઋષભદેવના પારણાને અંગે આ દિવસ પર્વ તરીકે મનાય છે, તેથી ઋષભદેવ ભગવંતની બીના જણાવવી, એ અસ્થાને ન જ ગણાય.
उसहस्स य पारणए, इक्खुरसो आसि लोगनाहस्स । सेसाणं परमन्नं दिव्वाइं पंच होज्ज तया ॥१॥ रिसहेससमं पत्तं, निरवज्जमिक्खुरससमं दाणं ।
सिज्जससमो भावो, जइ होज्जा वंछियं णियमा ॥२॥ પ્રથમ તીર્થકરને જીવ તેર માંના પશ્ચાનુપૂવકમે ત્રીજા ભવમાં જિનનામકમને, વીસે સ્થાનકોની આરાધના કરીને નિકાચિત બનાવી બારમા ભવે, સર્વાર્થસિદ્ધ વિમાન –જે અનુત્તર વિમાનમાં પાંચ વિમાનની મધ્યમાં રહેલ છે, અને જ્યાં સમ્યગ્દર્શન પૂર્વક ચારિત્ર સાધનાથી જ મનુષ્ય જઈ શકે, તથા જ્યાં રહેલા દેવે એકાવતારી હેય છે, અને તેત્રીશ સાગરે પમ પ્રમાણ અજઘન્યોત્કૃષ્ટ આયુષ્યવાલા હોય છે–તેનાં વિનર દિવ્ય સુખે ૩૩ સાગરોપમ સુધી ભેગવીને અષાડ વદિ ચેાથે સાત કુલકરોમાંના વિનીતા નગરીના રાજા શ્રી નાભિ રાજાની મરૂદેવી માતાની કુક્ષિમાં પધાર્યા. નવ માસ અને ૪ દિવસ વીત્યા બાદ સાથળમાં વૃષભ લંછનવાળા શ્રી પ્રથમ તીર્થકર ધન રાશિ—-ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચિત્ર વદિ આઠમે અર્ધરાત્રીએ જન્મ પામ્યા. પાંચસે ધનુષ્યની સુવર્ણ વણી કાયાના ધારક પ્રભુદેવ અનુક્રમે મોટા થયા. ૨૦ લાખ પૂર્વ કાળ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ઇંદ્ર વિનીતા નગરી વસાવી રાજ્યાભિષેક કર્યો. ૬૩ લાખ પૂર્વે સુધી
૧. પહેલા અને છેલ્લા તીર્થકરે વીસે સ્થાનની આરાધના કરી છે. બાકીના બાવીશ તીર્થ કરીએ એકાદિ સ્થાનકની સાધના કરી છે, આની સવિસ્તાર બીના ત્રિષષ્ઠી ચરિત્ર, શ્રી વિંશતિ સ્થાનામૃત સંગ્રહ–આદિથી જાણી લેવી.
૨. સર્વે તીર્થકરોને મધ્ય રાતે જ જન્મ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org