Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 239
________________ મહાચમત્કારી પ્રભુ શ્રીમાણિક્યદેવ. (લેખક –આચાર્ય શ્રી વિપરસૂરિ મહારાજ) પ્રાચીન કાળમાં શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વતની ઉપર મહારાજા શ્રી ભરત ચક્રવતી એ દરેક તીર્થકરના વર્ણ તથા પ્રમાણ અને સંસ્થાનને અનુસરીને પિતે બંધાવેલા, સિંહનિષદ્યા નામના મહાપ્રસાદને વિષે વર્તમાન ચેવશીમાં થયેલા વીશે તીર્થકરેની રત્નમય પ્રતિ માઓ ભરાવીને પધારવી હતી. અવસર્પિણી કાલના પ્રભાવે ભવિષ્યના જીવે આ પર્વત ઘણે ઉંચે હોવાથી આની ઉપર રહેલી આ પૂજ્ય પ્રતિમાના દર્શનાદિને લાભ લઈ શકશે નહિ, એમ વિચાર કરી તેજ શ્રી ભરતકીએ અલગ જ એક કષભદેવ પ્રભુની પ્રતિમા લોકો દર્શનાદિને લાભ મેળવી શકે એવા ઈરાદાથી, નિર્મલ મરકત મીની ભરાવી. તે પ્રતિમાના ખભાની ઉપર જટાના આકારે વાળને દેખાવ કરાવ્યો હતો. હોઠની નીચેના ભાગમાં સૂર્યને અને કપાલમાં ચંદ્રમાને આકાર કરાવ્યું હતું એથી એ પ્રતિમા “માણિ. યદેવ” એવા નામથી લેકમાં પ્રસિદ્ધિને પામી. કેટલેક કાળ વીત્યા બાદ ત્યાં યાત્રા કરવા માટે આવેલા વિદ્યાધરોએ આ પ્રતિમાને જોઈ. પ્રતિમાનું દિવ્ય રૂપ જોતાં જ મનમાં આશ્ચર્ય પામ્યા. ત્યાર બાદ તેઓએ તે પ્રતિમાને વિમાનમાં સ્થાપન કરીને વૈતાઢય પર્વતની દક્ષિણ એણિ કે જ્યાં પિતાનું નિવાસસ્થાન છે, ત્યાં લઈ જઈ મંદિરમાં પધરાવીને અપૂર્વ ઉલ્લાસથી સાત્વિક પૂજા વિગેરે અનુષ્ઠાન કરી માનવ જન્મને સફલ કર્યો. એક વખત ત્યાં ફરતા ફરતા નારદ ઋષિ આવ્યા. તે પ્રતિમાને જોઈને વિદ્યાધરને પૂછે છે કે તમે આ પ્રતિમા ક્યાંથી લાવ્યા ? જવાબમાં તેઓએ કહ્યું કે અષ્ટાપદ પર્વત ઉપરથી અમે લાવ્યા છીએ. જ્યારથી અમે આ પ્રતિમાની ભક્તિ શરૂ કરી તે દિવસથી માંડીને પ્રતિદિન અમારે સંપત્તિ વધતી જ જાય છે. તે બીના સાંભળીને નારદ ઋષિએ દેવલોકમાં ઇંદ્રની પાસે આ પ્રતિમાનું માહાસ્ય વર્ણવ્યું. તે સાંભળી ઈંદ્ર મહારાજા દેવલેકમાં મંગાવીને તે પ્રતિમાની ઘણું જ બહુમાનથી પૂજાભક્તિ કરવા લાગ્યાં. એમ આ પ્રતિમા વસમા શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી નેમિનાથ પ્રભુના આંતરાના ટાઈમ સુધી ઇંદ્રની પાસે રહી. 'એ અવસરે લંકા નગરીમાં ત્રણે લેકને કાંટાની જેમ દુઃખી કરનાર રાવણ રાજા રાજ્ય કરે છે. તેને નિર્મલ સમ્યગ્દષ્ટિ મંદદરી નામની રાણું છે. તેણીએ નારદના મુખે તે રત્નમય બિંબની પ્રભાવગર્ભિત બીના અને તે પ્રતિમાની પૂજાને લાભ લેવા અડગ અભિગ્રહ ધારણ કર્યો. આ બીના જાણીને મહારાજા રાવણે ઈંદ્રને આરાધીને તે પ્રતિમા મેળવી રાણું મદદરીને આપી. રાણી ત્રણે કાલ અપૂર્વ આહૂલાદથી તે પ્રતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290