Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઘાત કરવાનો વિચાર કરવાવાળા, (૬) ‘મૂવ ' ઇત્યાદિ. પ્રાણી, ભૂત, જીવ, સત્વ, આદિના ઘાતને વિચાર કરવાવાળા હિંસાદેષ પરાયણ અસમાધિ સ્થાનનું સેવન કરે છે, કેમકે સમસ્ત પ્રાણિઓના પ્રાણની રક્ષા કરવી એજ સમાધિને હેતુ છે. એથી ભૂતપઘાતચિન્તન મુનિએ વજિત કરવું. (૭) સમાધિપ્રતિબન્ધક કષાયનું વર્ણન કરે છે
સંગm” ઈતિ. પ્રતિક્ષણ કેધ કરવાવાળા, છ પ્રત્યેના મિત્ર ભાવને ત્યાગ કરે છે. મિત્રભાવના અભાવથી અસમાધિસ્થાન દેષના ભાગી થાય છે. (૮) “દ” ઈતિ. સ્વ. તથા પર ને સંતાપ કરવાવાળા તીવ્રકષાયી થાય છે. એથી સમાધિની ઈચ્છા કરવાવાળાએ ક્ષમાશીલ થવું જોઈએ (૯) ઉક્રિમણિg” ઈત્યાદિ.
વિદિમણ ન રવાન્ના” ભગવાનના આ વાક્યથી અહીં “પૃષ્ઠિ” શબ્દને અર્થ પક્ષ (પાછળ) તથા માંસ શબ્દને અર્થ બીજાના દોષને કહેવા, એ થાય છે. તાત્પર્ય એ છે કે જે પાછળથી નિન્દા કરવાવાળા છે તે નિર્દક પિતાના ગુણોને નાશ કરે છે તથા તે સર્વનિન્દનીય થઈને અસમાધિસ્થાન દેશના ભાગી થાય છે. (૧૦). “વિશ્વ ઈત્યાદિ વારંવાર નિશ્ચયકારી ભાષા બોલવાવાળા અસમાધિ દેશના ભાગી થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ તથા ભાવથી જ્યાં સંદેહ થાય છે, ત્યાં “આ આમજ છે એવું બાલવાથી મૃષાવાદ થઈ જાય છે, તેનાથી સમસ્ત દેની પ્રાપ્તિ થાય છે અને પછી આત્મસંયમની વિરાધના થાય છે, આત્મવિરાધના તથા સંયમવિરાધનાથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. આ માટે શંકાયુકત પદાર્થોના વિષયમાં વારંવાર નિશ્ચયવાલાં વચન બલવાં એ મુનિને માટે અહિત કરવાવાળું છે. (૧૧) ‘નવઘણું’ ઈત્યાદિ. ન હોય ત્યાં નવીન જીઆ ઉત્પન્ન કરવાવાળા અસમાધિદેષના ભાગી થાય છે. આ સૂત્રમાં અધિકરણ શબ્દનો અર્થ “કલહકે કિજીઆ” થાય છે, વિજિતે જેના દ્વારા આત્મા નરક નિગોદ આદિ અનન્ત જન્મ મરણ રૂપ દુઃખના ખાડામાં નાખવામાં આવે છે. તેને અધિકરણ કહે છે. કજીઓ પેદા ન થતું હોય ત્યાં કજીઓ પેદા કરવાવાળા મુનિ અસમાધિ દેષના ભાગી થાય છે. નવા કજીઆ ઉત્પન્ન કરનાર મુનિ, જન્મ મરણ આદિ અનેક અનન્ત દુ:ખેને નાશ કરવાવાળી, સંસારભ્રમણને છોડવવાળી અનન્ત જ્ઞાન આદિને દેવાવાળી અક્ષય અને અમર પદને પ્રાપ્ત કરાવવાવાળી વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપ સમાધિ,તથા આચારસમાધિના વિનાશક બને છે. પરંપરાથી પરસંતાપક તથા આત્મવિરાધી, સંયમવિરાધી થાય છે, અને એમ કરતાં કરતાં ચતુગતિસંસારમાં અનન્તકાળસુધી પરિભ્રમણ કરે છે અને ત્યાં અનન્ત દુ:ખેને અનુભવ કરે છે. (૧૨)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૧