Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 88
________________ પાંચ કલ્યાણ ઉત્તરાણુની નક્ષત્રમાં થયાં. મૂલમાં સ્તોત્ત1 શબ્દ છે. તેને અર્થ એ થાય છે કે હસ્તથી ઉપલક્ષિત ઉત્તરા અર્થાત્ હસ્ત નક્ષત્રની પહેલાં જે ઉત્તરા નક્ષત્ર છે તેને દસ્તત્તર-ઉત્તરભુની નક્ષત્ર કહે છે. અહીં પ્રાકૃત હોવાથી સપ્તમીના અર્થમાં તૃતીયા વિભક્તિ છે વીસ સાગરેપમ દેવની સ્થિતિને ઉપભેગ કરી ભગવાન દશમાં પ્રાણતદેવલોકથી ચ્યવીને ઉત્તરા/જુની નક્ષત્રમાં ગર્ભ માં આવ્યા. (૧) ઉત્તરાનીમાં દેવ દ્વારા એક ગર્ભથી બીજા ગર્ભમાં તેમનું સંહરણ થયું (૨). ચૈત્ર શુકલ તેરસ ૩/ITની નક્ષત્રમાં જન્મ થયે (૩). ઉત્તરTEાની નક્ષત્રમાં મુંડિત થઈ અગારમાંથી અનાર બન્યા અર્થાત્ ઘર છેડીને સંયમ લીધે (૪) ઉત્તરાનોમાં અનન્ત, પ્રધાન, અવિનાશી, નિરાવરણ સંપૂર્ણ કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કર્યા, કેવલજ્ઞાન અને કેવલદર્શન વૈશાખ સુદ દશમીને દિવસ થયાં.(૫) વાતિ નક્ષત્ર કાર્તિક અમાવાસ્યામાં ભગવાને મોક્ષને પ્રાપ્ત કર્યો. “ના” શબ્દથી ભગવાનના વિહાર પરીષહ-સહન આદિનો ગણધરો દ્વારા પુનઃ પુનઃ ઉપદેશ કરવામાં આવ્યું છે. અહીં એ વિશેષ છે: (૧) ગર્ભમાં આવવું એટલે ગર્ભાધાન આદિ સંસ્કાર સમજવું જોઈએ. (૨) જન્મથી જન્મ મહિમાનું સંપૂર્ણ વૃત્તાન્ત સમજવું. (૩) દક્ષાથી દીક્ષા સુધી જીવન વૃત્તાન્ત જાણવું. (૪) કેવલજ્ઞાનથી સમસ્ત સાધુઓની વૃત્તિ તથા શ્રી ભગવાનની વિહારચર્યા આદિ સમજવું જોઈએ (૫) નિર્વાણથી-કેવલજ્ઞાનથી લઈને નિર્વાણપદપ્રાપ્તિ સુધી આખું ચરિત્ર સમજવું. આ કહેવાનું તાત્પર્ય છે કે પંચકલ્યાણમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનું જીવનચરિત્ર સૂત્રરૂપે કહેવામાં આવ્યું છે. (૮) ત્તિમ શ્રી સુધર્માસ્વામી કહે છે હૈ જબ્બ ! ભગવાનની પાસે જેવું સાંભળ્યું છે તેવું જ હું તમને કહું છું. શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રની “મુનિહર્ષિ ટીકાના ગુજરાતી અનુવાદમાં પર્યુષણ નામનું આઠમું અધ્યયન સમાપ્ત થયું (૮) શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125