Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 111
________________ હવે નિદાનના વિષય કહે છે-' ટુકાવ વઘુ ’ ઇત્યાદિ. આ સ'સારમાં પુરુષત્વ નિશ્ચયજ કષ્ટકારક છે. જો તે મહામાતૃક ઉગ્રપુત્ર તથા ભાગપુત્ર હોય તે તેને કોઇને કોઇ નાના કે મોટા મહાયુદ્ધમાં અનેક શસ્રોના અનેક પ્રહાર પોતાની છાતી પર ઝીલવા પડતા હોય છે. તેથી પુરુષ થવું મહા દુ:ખકારક છે સ્ત્રી થવું ઉત્તમ છે. જો અમારા આ તપ નિયમ તથા બ્રહ્મચર્ય વાસનું કઇંક વિશેષ લ હાય તા અમે પણ આગામી કાલમાં આ પ્રકારના ખાસ સ્ત્રીઆના કામભેગાને ભાગવતા થકા વિચરીએ. આ જ શ્રેષ્ઠ છે. (સ્૦ ૨૯ ) ઉકત વિષયનું જ વર્ણન કરે છે–‘ä વહુ' ઇત્યાદિ. હે આયુષ્યમાન શ્રમણા ! આ પ્રકારે નિર્પ્રન્થ નિદાન કરીને નિદાનરૂપી પાપની ગુરુની સમીપે આલેાચના કર્યાં વિના તથા ગુરુથી અપાયેલા પાપનાં પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણ કર્યા વિના કાલ અવસરે કાલ કરીને ત્રૈવેયક આદિ દેવલેાકેામાંના કોઇ એક દેવલાકમાં દેવરૂપથી ઉત્પન્ન થાય છે. તે ત્યાં દેવાની વચમાં અશ્વશાલી દેવતા થઈને વિચરે છે. દેવસંબંધી આયુ ભવ તથા સ્થિતિના ક્ષય થતાં દેવભવથી ચવીને ઉગ્ર આદિ કોઇ એક કુલમાં કન્યાપણામાં ઉત્પન્ન થાય છે. (સ્૦ ૩૦) તે કન્યા કેવી થાય છે? તે કહે છે-‘સા Ī' ઇત્યાદિ. તે ઉગ્રપુત્ર આદિના કુળમાં કન્યા થાય છે. તે કામળ ક-ચરણવાળી અને અત્યન્ત સુરૂપ થાય છે. પછી તેના માતા પિતા તેને ચેગ્ય દહેજ સાથે કાઇ યોગ્યકુલના સંપત્તિશાળી વરને ભાર્યાંરૂપે દે છે. તે તેની એક સપત્નીરહિત ભાર્યાં થઈ જાય છે. બીજુ બધુ વન અગાઉની જેમ જાણવું જોઇએ. જ્યારે તે ભવનમાં આવે છે અથવા ભવનની બહાર જાય છે ત્યારે તેની અનેક દાસીએ અને દાસ સેવામાં રહે છે અને કહે છે કે હે સ્વામિની ! આપના માટે કયે ( છું.) પદાર્થ લાવીએ? શુ આજ્ઞા છે? અને આપને કેવા પદાર્થીની રૂચી છે ? ઇત્યાદિ રૂપથી તે સુખાના અનુભવ કરતી વિચરે છે. ( સૂ॰ ૩૧ ) આ પ્રકારે નિદાનકર્મ કરીને નિન્ય સ્ત્રીભવને પામે છે ત્યારે તે સ્ત્રી, ધર્મોમાં કેવી હોય છે ? તે કહે છે-‘જૈસે હું ઇત્યાદિ. શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૧૦૪

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125