Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિદાનરહિતસંયમ ફલકા વર્ણન
હવે નિદાનરહિત સંયમફલને કહે છેvā વસુઇત્યાદિ
હે આયુષ્માન શ્રમણ ! આ પ્રકારે મેં ધર્મ પ્રતિપાદન કર્યો છે. આ નિર્ચન્થ પ્રવચન સત્ય છે ઈત્યાદિ. બરાબર આ પ્રવચનનું આરાધન કરવાવાળા જીવ સિદ્ધ બુદ્ધ મુકત થઈ સર્વ દુઃખનો અંત કરે છે તે મુનિ થઈને સંયમમાર્ગમાં પરાક્રમ કરે છે. સમસ્ત વિષયવાસનાથી રહિત થાય છે. સંસારરાગથી નિવૃત્ત થાય છે. ધન ધાન્ય આદિ સર્વ પરિગ્રહનો ત્યાગ કરે છે. પુત્ર પૌત્ર કલત્ર આદિના સ્નેહ બંધનથી રહિત થાય છે. અને સર્વચારિત્રપરિવૃદ્ધ અર્થાત યથાખ્યાત ચારિત્રથી પરિપુષ્ટ થાય છે. (સૂ૦ ૫૫)
વળી યથાખ્યાત ચારિત્રવાળા અનગારને શું થાય છે ? તે કહે છે– તજ્જ ” ઇત્યાદિ.
અનુપમ જ્ઞાન અનુપમ દર્શન અને સર્વોત્કૃષ્ટ પરિનિર્વાણમાર્ગ અર્થાત કવાયરૂપ અગ્નિને શાંત કરવાવાળા માર્ગથી આત્માને ભાવિત કરતા થકા તે સર્વકામવિરક્તપણું આદિ-સર્વગુણવાળા વીતરાગ સંયમી અનગાર ભગવાનને અનન્ત-અન્તરહિત અને ત્તર-સર્વોત્કૃષ્ટ નિવ્યઘાત-પ્રતિરોધરહિત, નિરાવરણ–આવરણરહિત કૃત્ન-સકલ પદાર્થને ગ્રહણ કરવાવાળા પ્રતિપૂર્ણ-સર્વા શસ પૂર્ણ, એવા શ્રેષ્ઠ કેવલજ્ઞાન તથા કેવલદર્શન ઉત્પન્ન થાય છે. (સૂ) ૬)
કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થતાં તે કેવા થાય છે? તે કહે છેઅવશિષ્ટ આયુને કેવલજ્ઞાનધી જાણીને ચોવિહાર સંથારા કરે છે અનશન દ્વારા અનેક ભકતનાં છેદન કરીને (ઉપવાસ કરીને) અન્તિમ ઉસ-નિઃશ્વાસ સાથે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને સર્વે દુઃખને અંત કરે છે. અર્થાત્ મેષગતિને પ્રાપ્ત કરે છે. (સૂ૫૭)
પ્રસ્તુત વિષયને ઉપસંહાર કરતાં કહે છે–“gવે હુ ઇત્યાદિ.
હે આયુષ્માન શ્રમણ ! આ એવું નિદાનરહિત ક્રિયાનું કલ્યાણરૂપ ફલ થાય છે. કે જેનાથી તે તેજ ભવગ્રહણથી અર્થાત તેજ જન્મમાં સિદ્ધ થઈ જાય છે. (સૂ) ૫૮).
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
૧૧૫