Book Title: Agam 27 Chhed 04 Dashashrutskandh Sutra  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 64
________________ અડદ, તલ, ઘઉં, શાલિ અને જવ આદિ. મણિ= પૃથ્વીકાયથી ઉત્પન્ન થવાવાળાં. જેમકે-ઇન્દ્રનીલ રત્ન, વૈડૂ, પદ્મરાગ, ચન્દ્રકાન્ત; મેચક= કૃષ્ણવર્ણ રત્ન, સ્ફટિક આદિ તથા મુક્તાલ, શંખ, શિલાપ્રવાલ=વિશિષ્ટ રોંગવાલા મૂંગા. આ બધાંથી જીવનપન્ત નિવૃત્ત થતા નથી. તથા સર્વ પ્રકારના ફૂટતાલ ( ખાટાંતાલ ) ને ફૂટમાપથી નિવૃત્ત થતા નથી. ફૂટતુલા-ખીજાને ઠગવામાટે પોતાને અનુકૂલ થાય તેવી રીતે કપટથી વસ્તુને ઓછી વધતી તાળવી. ફૂટમાન-કપટથી વસ્તુનું વધારે એછું માપ કરવું. તેનાથી તે જીવન પર્યંત નિવૃત્ત થતો નથી. તથા આરંભ અને સમાર ંભથી નિવૃત્ત થતા નથી. હિંસા આદિ સાવદ્ય વ્યાપારને આરંભ કહે છે. બીજાને પીડા ઉત્પન્ન કરવારૂપ ઉચ્ચાટન આદિ વ્યાપારને સમારમ્ભ છે. તે કાયિક, વાચિક, અને માનસિક એવા ભેદથી ત્રણ પ્રકારના છે. (૧) કાયિક સમારંભ મારવા માટે લાકડી, મુઠી આદિનો વ્યાપાર. (૨) વાચિક સમારભ– પ્રાણાતિપાત આદિને માટે ક્ષુદ્રવિદ્યા આદિના પ્રયાગના સંકલ્પસૂચક શબ્દ(૩) માનસિક સમાર ભ–બીજાને પીડા પહાચાડવા માટે મંત્ર આદિનુ સ્મરણું. એનાથી તે જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી તથા આહાર આદિનાં પચન પાચન, સર્વે પ્રકારના સાવદ્યકમ કરવાં કરાવવાં પટ્ટન=મુગર આદિથી પીટવું, કુટ્ટન=મુશલ આદિથી કુટવું, તન=મસ્તક અથવા આંગળી આદિને હલાવીને અરે મૂર્ખ'! તને ખબર પડશે' એમ તિરસ્કારથી ખેલવું. તાડન=મેટીકે લપડાક આદિથી તાડન કરવું, વધ=ખડ્ગ આદિથી ઘાત કરવા, અન્ધનએડી આદિમાં જકડવું, પરિકલેશ=ભૂખ તરસ આદિથી દુ:ખ દેવું. આ બધાંથી તે જીવનપર્યન્ત નિવૃત્ત થતા નથી. તથા એવા પ્રકારનાં ખીજા પણ સાવદ્યકમ કે જે અમેાધિજનક છે તે બધાંથી જીવનપર્યંન્ત નિવૃત્ત પામતા નથી ( સૂ ૭ ) ફ્રી તે કેવા પ્રકારની અધાર્મિક ક્રિયા કરે છે તે દૃષ્ટાંતદ્વારા કહે છે:‘મે નાનાની ઇત્યાદિ. કલમ એક પ્રકારની શાલિ છે કહ્યું પણ છે: – "कलम: किलविख्यातो, जायते स बृहद्वने હારમી વેશ યોજો, મહાતજુગમા ॥॥ પ્રતિ આ કલમ મેટા વનમાં થાય છે. જેના ગર્ભમાં મેટામેટા તંડુલ રહે છે અને કાશ્મીર દેશમાંજ થાય છે. (૧) જેમ કેાઈ પુરુષ કલમ, મસુર કે જે માલવ આદિ દેશમાં ઉત્પન્ન થાય છે. તલ મગ અડદ નિપાવવાāાળ, કુલત્થ, આલિસિદકચાળા, જવજવ જવાર્ આદિ ધાન્ય ને અયત્નશીલ થઈને ક્રૂરતાથી ઉપમન કરતા મિથ્યાદડના પ્રયોગ કરે છે એવી રીતે નાસ્તિકવાદી તેતર બટેર લાવક કબુતર કુરજ મૃગ પાડા શુકર મકર ગેાહ (ધા) કચ્છપ (કાચબા) સર્પ, ઇત્યાદિ નિરપરાધી પ્રાણિઓની અયત્નશીલ થઈ ને શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર ૫૭

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125